Ahmedabad Rath Yatra 2026: અમદાવાદમાં 149મી રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં, ભગવાન જગન્નાથજીના અદભુત વાઘા તૈયાર
Ahmedabad Rath Yatra 2026: અમદાવાદ (Ahmedabad) માં યોજાનારી 149મી જગન્નાથ રથયાત્રા (149th Rath Yatra) માટે ભગવાનના વાઘા અને વિશેષ શણગાર તૈયાર કરી લેવાયા છે. અખાત્રીજથી શરૂ થયેલી આ કામગીરીમાં વૃંદાવન, સુરત અને બનારસના કાપડ પર આભલા, રેશમ અને રાજસ્થાની ગોતા-પત્તી વર્ક કરવામાં આવ્યું છે. ભગવાન રથયાત્રા અને મંગળા આરતી દરમિયાન વિવિધ ભવ્ય સ્વરૂપે દર્શન આપશે.
Advertisement
Ahmedabad Rath Yatra 2026: કૃષ્ણનગરી અને સંસ્કારનગરી એવા અમદાવાદ (Ahmedabad) શહેરમાં આગામી સમયમાં યોજાનારી ઐતિહાસિક 149મી રથયાત્રા (149th Rath Yatra) ને લઈને મંદિર પ્રશાસન અને ભક્તો દ્વારા પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અષાઢી બીજના પાવન પર્વે નીકળનારી આ રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથ (Lord Jagannath), બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રજી માટેના વિશેષ અને મનમોહક વાઘા સત્તાવાર રીતે તૈયાર કરી લેવામાં આવ્યા છે. આ વર્ષે ભગવાનનો શણગાર અને વાઘા અત્યંત નયનરમ્ય અને ભારતીય સંસ્કૃતિની વિવિધતાને ઉજાગર કરનારા હશે.

