6 મેના રોજ તમારી ફ્લાઇટ છે? અમદાવાદ એરપોર્ટ જતાં પહેલા આ સમાચાર ખાસ વાંચજો
Ahmedabad Airport રન-વે 6 મેના રોજ બંધ રહેશે
સવારે 11 થી સાંજે 5 વાગ્યા સુધી રન-વે બંધ
રન-વે મેન્ટેનન્સની કામગીરીને કારણે લેવાયો નિર્ણય
દિવસ દરમિયાન ફ્લાઇટની અવરજવર પર પડશે અસર
એરલાઈન્સ દ્વારા તમામ મુસાફરોને અગાઉથી જાણ કરાઈ
મુસાફરોને ફ્લાઇટનું શેડ્યૂલ અગાઉથી ચેક કરવા સૂચના
મેન્ટેનન્સને કારણે ફ્લાઇટના સમયમાં ફેરફાર થવાની શક્યતા
તમામ મુસાફરોને એરપોર્ટ પર સમયસર પહોંચવા માટે અપીલ
સુરક્ષા અને મેન્ટેનન્સને ધ્યાનમાં રાખી એરપોર્ટ ઓથોરિટીનો નિર્ણય
કામગીરી પૂર્ણ થયા બાદ વિમાન સેવાઓ ફરી શરૂ કરાશે'
Ahmedabad Airport : અમદાવાદ (Ahmedabad) ના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (Sardar Vallabhbhai Patel International Airport - SVPIA) ખાતે આગામી 6 મેના રોજ હવાઈ મુસાફરી કરનારા લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા રન-વેના મેન્ટેનન્સ (Runway Maintenance) ની કામગીરીને ધ્યાનમાં રાખીને રન-વેને નિર્ધારિત સમય માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
6 મેના રોજ રન-વે બંધ રહેશે
પ્રાપ્ત વિગતો અનુસાર, 6 મેના રોજ સવારે 11:00 વાગ્યાથી સાંજે 5:00 વાગ્યા સુધી રન-વે પર કોઈપણ પ્રકારનું ઓપરેશન કરવામાં આવશે નહીં. આ 6 કલાક દરમિયાન રન-વેના રિપેરિંગ અને સુરક્ષા સંબંધિત મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવશે. એરપોર્ટ ઓથોરિટી (Airport Authority) ના જણાવ્યા મુજબ, વિમાનોના સુરક્ષિત ટેક-ઓફ અને લેન્ડિંગ માટે સમયાંતરે રન-વેનું નિરીક્ષણ અને સમારકામ અત્યંત આવશ્યક હોય છે.
Ahmedabad એરપોર્ટ રન-વે 6 મેના રોજ બંધ રહેશે । Gujarat First#AhmedabadAirport #RunwayClosure #AirportUpdate #FlightUpdate #TravelAdvisory #IndiaAviation #FlightDelay #AirportNews #TravelAlert #AirTravel #AviationNews #PassengerAlert #FlightSchedule #AirportAuthority… pic.twitter.com/ql6S0Gl4bX
— Gujarat First (@GujaratFirst) May 3, 2026
અમદાવાદથી ઉડતી ફ્લાઇટ્સના સમયમાં મોટો ફેરફાર
દિવસના મુખ્ય કલાકો દરમિયાન રન-વે બંધ રહેવાને કારણે અનેક ડોમેસ્ટિક (Domestic) અને ઇન્ટરનેશનલ (International) ફ્લાઇટ્સના શેડ્યૂલ પર તેની સીધી અસર પડશે. ઘણી એરલાઈન્સ (Airlines) દ્વારા તેમની ફ્લાઈટ્સના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જ્યારે કેટલીક ફ્લાઈટ્સને રિ-શેડ્યૂલ (Reschedule) કરવામાં આવી છે. એરલાઈન્સ કંપનીઓ દ્વારા તમામ અસરગ્રસ્ત મુસાફરોને મેસેજ અને ઈમેલ દ્વારા અગાઉથી જાણ કરી દેવામાં આવી છે.
વહીવટી તંત્રની અપીલ
એરપોર્ટ પ્રશાસને મુસાફરોને અનુરોધ કર્યો છે કે તેઓ ઘરની બહાર નીકળતા પહેલા પોતાની ફ્લાઇટનું સ્ટેટસ ઓનલાઇન ચેક કરી લે. આ ઉપરાંત, જે મુસાફરોની ફ્લાઇટ સાંજે 5:00 વાગ્યા પછીની છે, તેમને પણ એરપોર્ટ પર નિર્ધારિત સમય કરતાં વહેલા પહોંચવા અપીલ કરવામાં આવી છે જેથી મેન્ટેનન્સ બાદ સર્જાનારી સંભવિત ભીડથી બચી શકાય. રન-વેની કામગીરી પૂર્ણ થયા બાદ વિમાન સેવાઓ રાબેતા મુજબ ફરી શરૂ કરી દેવામાં આવશે.
આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પર Gold Smuggling: ગુપ્ત ભાગોમાં કેપ્સ્યુલ છુપાવીને કરાતી હતી દાણચોરી


