Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

AMC સ્કૂલ બોર્ડના 100 વર્ષ: CM Bhupendrabhai Patel એ કર્યું સ્માર્ટ શાળાનું ઉદ્ઘાટન! જુઓ શિક્ષકોને શું કરી ટકોર?

અમદાવાદમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 100 વર્ષ પૂર્ણ થતા 'શતાબ્દી શિક્ષા મહોત્સવ' ઉજવાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવરંગપુરા (Navrangpura) માં નવા ભવન અને સ્માર્ટ શાળાનું લોકાર્પણ કર્યું. 100 શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરાયા. CM એ હળવા મૂડમાં શિક્ષકોને પ્રોત્સાહિત કરી શિક્ષણની ગુણવત્તા જાળવી રાખવા અને થાક્યા વગર રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા આહ્વાન કર્યું.
amc સ્કૂલ બોર્ડના 100 વર્ષ  cm bhupendrabhai patel એ કર્યું સ્માર્ટ શાળાનું ઉદ્ઘાટન  જુઓ શિક્ષકોને શું કરી ટકોર
Advertisement
  • AMC સ્કૂલ બોર્ડના નવા ભવનનું લોકાર્પણ
  • શતાબ્દી શિક્ષા મહોત્સવ અંતર્ગત સ્માર્ટ શાળાનું લોકાર્પણ
  • નવરંગપુરાના નવનિમિર્ત સ્કૂલ બોર્ડ ભવનનું પણ સીએમના હસ્તે લોકપર્ણ

AMC School Board: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ (Municipal School Board) દ્વારા આજે એક ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 'શતાબ્દી શિક્ષા મહોત્સવ' (Centenary Education Festival) અંતર્ગત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendrabhai Patel) દ્વારા વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું.

નવનિર્મિત ભવન અને સ્માર્ટ શાળાનું લોકાર્પણ

આ કાર્યક્રમના મુખ્ય આકર્ષણ તરીકે નવરંગપુરા (Navrangpura) વિસ્તારમાં તૈયાર કરવામાં આવેલા નવનિર્મિત સ્કૂલ બોર્ડ ભવન (School Board Bhavan) નું મુખ્યમંત્રીના હસ્તે વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ આધુનિક સુવિધાઓથી સજ્જ ભવન શિક્ષણ સમિતિની વહીવટી કામગીરીને વધુ વેગ આપશે. આ સાથે જ, ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણને વધુ અસરકારક બનાવવા માટે સ્માર્ટ શાળા (Smart School) નું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સ્માર્ટ શાળાઓ દ્વારા સરકારી શાળાના બાળકોને ખાનગી શાળા જેવી જ અત્યાધુનિક સુવિધાઓ અને ડિજિટલ લર્નિંગનો લાભ મળશે.

Advertisement

Advertisement

શિક્ષકોનું સન્માન અને મંત્રીઓની ઉપસ્થિતિ

આ અવસરે શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર 100 જેટલા શ્રેષ્ઠ શિક્ષકો (Best Teachers) નું મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણ મંત્રી પ્રદ્યુમનભાઈ વાજા (Pradyuman Vaja) અને રાજ્ય શિક્ષણ મંત્રી (State Education Minister) રિવાબા જાડેજા (Rivaba Jadeja) વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીઓએ અમદાવાદ સ્કૂલ બોર્ડની 100 વર્ષની સફર અને તેની સિદ્ધિઓને બિરદાવી હતી.

મુખ્યમંત્રીનો હળવો અંદાજ અને પ્રેરક સંબોધન

લોકાર્પણ બાદ યોજાયેલી જાહેર સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અત્યંત હળવા મૂડમાં જોવા મળ્યા હતા. તેમણે સભામાં હાજર શિક્ષકોને સંબોધતા ટકોર કરી હતી કે, "કેમ બધા શિક્ષકો એકદમ શાંત થઈ ગયા છો?" તેમણે રમૂજ કરતાં ઉમેર્યું કે, "તમારો એક પિરિયડ (Period) 45 મિનિટનો હોય છે અને છોકરાઓ તમને શાંતિથી સાંભળે છે, આજે તમારો વારો આવ્યો છે મને સાંભળવાનો."

મુખ્યમંત્રીએ શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, "નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને 100 વર્ષ પૂર્ણ થયા છે, આપણે નથી થયા. " તેમણે શિક્ષકોને પ્રોત્સાહિત કરતા કહ્યું કે, આવનારી પેઢીનું ભવિષ્ય તમારા હાથમાં છે, તેથી "શિક્ષકો થાકી જાય તે ચાલશે નહીં."રાજ્ય સરકાર શિક્ષણ પાછળ જે ખર્ચ કરી રહી છે તેનો મહત્તમ લાભ છેવાડાના બાળક સુધી પહોંચે તે જરૂરી છે.

 આ પણ વાંચોઃ Surendranagar ને CM ભૂપેન્દ્રભાઇ પટેલની વિકાસભેટ: 539 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

Tags :
Advertisement

.

×