Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad: રોજગારીની નવી રાહ, ભરવાડ યુવા સંગઠન દ્વારા 51 JCB મશીનોનું વિતરણ

અમદાવાદના ગોતા ખાતે ભરવાડ યુવા સંગઠન દ્વારા આયોજિત કાર્યક્રમમાં યુવા રોજગાર યોજના હેઠળ 51 યુવાનોને જેસીબી (JCB) વિતરણ કરી આત્મનિર્ભર બનાવવામાં આવ્યા. આ સાથે જ સમાજના નવનિયુક્ત સરકારી અધિકારીઓ અને તેમના માતા-પિતાનું વિશેષ સન્માન કરી શૈક્ષણિક પ્રગતિને પ્રોત્સાહન અપાયું. આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
ahmedabad  રોજગારીની નવી રાહ  ભરવાડ યુવા સંગઠન દ્વારા 51 jcb મશીનોનું વિતરણ
Advertisement
  • Ahmedabad માં  ભરવાડ યુવા સંગઠન દ્વારા વિશેષ કાર્યક્રમ
  • યુવા રોજગાર યોજના અંતર્ગત 51 JCB વિતરણ કરાયા
  • સમાજના નવનિયુક્ત અધિકારીઓનું સન્માન પણ કરાયું

Ahmedabad: અમદાવાદ શહેરના ગોતા (Gota) વિસ્તારમાં આવેલ રાજપૂત ભવન (Rajput Bhavan) ખાતે ભરવાડ સમાજ દ્વારા એક ભવ્ય અને પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે. અહીં ભરવાડ યુવા સંગઠન (Bharwad Yuva Sangathan) દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સામાજિક ઉત્થાન અને યુવા સશક્તિકરણનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. આ પ્રસંગે મુખ્યત્વે 'યુવા રોજગાર યોજના' (Yuva Rojgar Yojana) અંતર્ગત સમાજના બેરોજગાર યુવાનોને સ્વનિર્ભર બનાવવાના હેતુથી 51 જેસીબી મશીનોનું વિતરણ કરવામાં આવ્યું છે.

Ahmedabad: યુવાનોને આત્મનિર્ભર બનાવવાની પહેલ

ભરવાડ સમાજ પરંપરાગત રીતે પશુપાલન સાથે જોડાયેલો રહ્યો છે, પરંતુ બદલાતા સમય સાથે યુવાનો અન્ય વ્યવસાયોમાં પણ આગળ વધે તેવા ઉમદા આશય સાથે કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે 51 જેટલા જરૂરિયાતમંદ યુવાનોને જેસીબી (JCB) ની ચાવીઓ સોંપવામાં આવી હતી. આ પહેલથી 51 પરિવારોને કાયમી રોજગારીની તક સાંપડશે, જે સમાજના આર્થિક વિકાસમાં સીમાચિહ્નરૂપ સાબિત થશે.સમાજના બેરોજગાર યુવાનો અને જેમનો સિબિલ સ્કોર સારો ન હોય તેવા યુવાનોને JCB વિતરણ ઝીરો ડાઉન પેમેન્ટ ઉપર કરવામાં આવ્યું છે.

Advertisement

Ahmedabad: નવનિયુક્ત અધિકારીઓનું ગૌરવશાળી સન્માન

આ કાર્યક્રમમાં માત્ર આર્થિક મદદ જ નહીં, પરંતુ શિક્ષણ અને વહીવટી ક્ષેત્રે સફળ થયેલા રત્નોની પણ કદર કરવામાં આવી હતી. વિવિધ સરકારી સેવાઓમાં નવનિયુક્ત થયેલા સમાજના અધિકારીઓ (Officers) માટે સન્માન કરાયું હતુ. આ સન્માનની વિશેષતા એ હતી કે, અધિકારીઓની સાથે તેમના માતા-પિતા (Parents) નું પણ જાહેર મંચ પર સન્માન કરવામાં આવ્યું હતું.

Advertisement

સમાજના આગેવાનોની પ્રેરણાદાયી ઉપસ્થિતિ

ગોતા (Gota) ખાતેના આ આયોજનમાં ગુજરાતભરમાંથી ભરવાડ સમાજના રાજકીય, સામાજિક અને ધાર્મિક આગેવાનો (Leaders) મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ઉપસ્થિત વક્તાઓએ યુવાનોને વ્યસનમુક્ત રહી, શિક્ષણ મેળવી અને વ્યવસાયિક ક્ષેત્રે પ્રગતિ કરવા હાકલ કરી હતી.

આ પણ વાંચોઃ Kheda જીલ્લામાં વધુ એક પ્રેમ લગ્નનો વિવાદ: પાટીદાર માતાનો વીડિયો વાયરલ થયા બાદ વરુણ પટેલનું ટ્વીટ

Tags :
Advertisement

.

×