Ahmedabad : મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટમાં મોટી નિયુક્તિ
- Ahmedabad માં સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટમાં મોટી નિયુક્તિ
- રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી બન્યા વાઈસ ચેરમેન
- રાજ્યના ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગે સત્તાવાર પરિપત્ર જાહેર
- સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટમાં હવે DyCM સંભાળશે વાઈસ ચેરમેનનું પદ
Ahmedabad : સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટને (Sabarmati Ashram Memorial Trust) લઈ મોટા સમાચાર આવ્યા છે. ટ્રસ્ટમાં મોટી નિયુક્તિ કરવામાં આવી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (DyCM Harshabhai Sanghvi) સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટમાં વાઈસ ચેરમેન બન્યા છે. રાજ્યના ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગે સત્તાવાર રીતે પરિપત્ર જાહેર કરી આ માહિતી આપી છે. સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટમાં DyCM હવે વાઈસ ચેરમેન તરીકેની જવાબદારી સંભાળશે.
Ahmedabad, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને વધુ એક મહત્ત્વની જવાબદારી
Ahmedabad માં આવેલા મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટમાં મહત્ત્વની નિયુક્તિ કરવામાં આવી છે. ટ્ર્સ્ટમાં વાઈસ ચેરમેન પદે હવે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને (DyCM Harshabhai Sanghvi) જવાબદારી સોંપવામાં આવી છે. રાજ્યના ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગે સત્તાવાર રીતે પરિપત્ર જાહેર કરી આ અંગેની માહિતી આપી છે. હવે, રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટમાં વાઈસ ચેરમેન રહેશે.
Harshbhai Sanghavi Vice Chairman MGSAMT
સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટમાં મોટી નિયુક્તિ: હર્ષભાઈ સંઘવી બન્યા વાઈસ ચેરમેન
રાજ્યના ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગે સત્તાવાર પરિપત્ર જાહેર
સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટમાં હવે DyCM સંભાળશે વાઈસ ચેરમેનનું પદ@CMOGuj @sanghaviharsh… pic.twitter.com/MNzqvVxHFz— Gujarat First (@GujaratFirst) January 28, 2026
આ પણ વાંચો - Ajit Pawar : CM ભૂપેન્દ્રભાઈ પટેલ, DyCM હર્ષભાઈ સંઘવી સહિત આ નેતાઓએ વ્યક્ત કર્યું દુ:ખ, જાણો શું કહ્યું ?
નિવૃત્ત IAS I.K. પટેલ સભ્ય સચિવની જવાબદારી સંભાળશે
માહિતી અનુસાર, સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટમાં નિવૃત્ત આઈએએસ આઈ.કે. પટેલ (IAS I.K. Patel) સભ્ય સચિવની જવાબદારી સંભાળશે. સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા હાલ આશ્રમનાં નવીનીકરણની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે ટ્રસ્ટમાં નાયબ મુખ્યમંત્રીની નિયુક્તિને મહત્ત્વનો નિર્ણય માનવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો - ગુજરાતના 8 મેયરને મુખ્યમંત્રી Bhupendrabhai પટેલનું તેડું : કમિશનર-ચેરમેન પણ રહેશે હાજર


