ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : "મેદસ્વિતા મુક્ત ગુજરાત" અભિયાન અંતર્ગત સિવિલ હોસ્પિટલની નવીન પહેલ

સિવિલ હોસ્પિટલમાં "Dietician OPD" (રૂમ નં. G-025) દરરોજ સવારે 9:00 થી 1:00 અને બપોરે 2:00 થી 5:00 સુધી કાર્યરત રહેશે.
04:18 PM May 11, 2025 IST | Vipul Sen
સિવિલ હોસ્પિટલમાં "Dietician OPD" (રૂમ નં. G-025) દરરોજ સવારે 9:00 થી 1:00 અને બપોરે 2:00 થી 5:00 સુધી કાર્યરત રહેશે.
Civil_Gujarat_first
  1. "મેદસ્વિતા મુક્ત ગુજરાત" અભિયાન અંતર્ગત સિવિલ હોસ્પિટલની પહેલ (Ahmedabad)
  2. 1200 બેડ હોસ્પિટલ ખાતે ડાયટિશીયન O.P.D. નો પ્રારંભ
  3. "Dietician OPD" દરરોજ સવારે 9 થી 1 અને બપોરે 2 થી 5 સુધી કાર્યરત રહેશે
  4. નિષ્ણાત ડાયેટીશિયન દ્વારા યોગ્ય માર્ગદર્શન, પોષણ કાઉન્સેલિંગ, ડાયટ પ્લાન અપાશે

Ahmedabad : સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) "Dietician OPD" (રૂમ નં. G-025) દરરોજ સવારે 9:00 થી 1:00 અને બપોરે 2:00 થી 5:00 સુધી કાર્યરત રહેશે. મેદસ્વિતા ઘટાડવા તેમ જ NCD ધરાવતા દર્દીઓ, કુપોષિત બાળક તથા સગર્ભા અને ધાત્રી માતાઓને નિષ્ણાત ડાયેટીશિયન દ્વારા યોગ્ય આહારની માર્ગદર્શિકા, પોષણ કાઉન્સેલિંગ અને વ્યક્તિગત ડાયટ પ્લાન આપવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) દેશમાંથી મેદસ્વિતા ઘટાડવાનાં સંકલ્પને સાર્થક કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) સમગ્ર રાજયમાં આદરેલા 'મેદસ્વિતા મુક્ત ગુજરાત' અભિયાન (Obesity-Free Gujarat) અંતર્ગત અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા નવીન પહેલ હાથ ધરવામાં આવી છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની (Rushikesh Patel) સૂચનાને પગલે અમદાવાદ સિવિલ હોસ્પિટલની 1200 બેડ હોસ્પિટલમાં "Dietician OPD" (રૂમ નં. G-025) શરૂ કરવામાં આવી છે. જે દરરોજ સવારે 9:00 થી 1:00 અને બપોરે 2:00 થી 5:00 સુધી કાર્યરત રહેશે. આ OPD માં મેદસ્વિતા ઘટાડવાનાં આશય સાથે , NCD ધરાવતા દર્દીઓ, કુપોષિત બાળક તથા ગર્ભવતી અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓને નિષ્ણાત ડાયેટીશિયન દ્વારા યોગ્ય આહારની માર્ગદર્શિકા, પોષણ કાઉન્સેલિંગ અને વ્યક્તિગત ડાયટ પ્લાન આપવામાં આવશે.

આ પણ વાંચો - IndiaPakistanWar: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે બાયડનાં MLA ની મહત્ત્વની જાહેરાત!

BMI (Body Mass Index) ઘટાડવા સંદર્ભે પણ યોગ્ય માર્ગદર્શન અપાશે

આ સેવા દર્દીઓને તેમના આરોગ્યને સુધારવામાં, ઊર્જા વધારવામાં અને સમતુલિત જીવનશૈલી તરફ માર્ગદર્શન આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ સેવા સંપૂર્ણપણે નિઃશુલ્ક છે અને બધા જ માટે ખુલ્લી છે. વધુ માહિતી માટે 1200 NED hospital Civil Hospital, Ahmedabad ના રૂમ નં. G-025 ની મુલાકાત લેવી રહેશે.

આ પણ વાંચો - ISKCON Bridge Accident Case: ગુજરાત હાઈકોર્ટ આરોપી તથ્ય પટેલના હંગામી જામીન મંજૂર કર્યા

ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, હૃદયરોગ અને સ્થૂળતા સામે જાગૃતિ અભિયાન

અત્રે નોંધનીય છે કે, ગુજરાત રાજ્ય Non-Communicable Diseases (NCDs) જેવી કે ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, હૃદયરોગ અને સ્થૂળતા સામે જાગૃતિ અને યોગ્ય પોષણ માર્ગદર્શન માટે મેદસ્વિતામુકત ગુજરાત અભિયાન અમલમાં છે. આ અભિયાનને વધુ સાર્થક બનાવવાના ઉમદા હેતુથી આ પહેલ હાથ ધરવામાં આવી હોવાનું સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ (Dr. Rakesh Joshi) જણાવ્યું હતું.

અહેવાલ : સંજય જોશી, અમદાવાદ

આ પણ વાંચો - VADODARA : શિનોર પાસે ST બસ ઝાડમાં ઘૂસી, 6 ઇજાગ્રસ્ત

Tags :
AhmedabadAhmedabad Civil HospitalBMICM Bhupendra PatelDietician OPDDr Rakesh JoshigujaratfirstnewsNCDsObesity-free GujaratObesity-Free Gujarat Campaignpm narendra modiRushikesh PatelTop Gujarati New
Next Article