Ahmedabad ક્રાઈમ બ્રાંચ અને ગુજરાત ATS એ આંતરરાજ્ય બાળ તસ્કરી રેકેટનો કર્યો પર્દાફાશ
- Ahmedabad: નવજાત શિશુને બચાવી ત્રણ લોકોની ધરપકડ કરાઇ છે
- આરોપીની પૂછપરછ દરમિયાન આરોપીઓની મોટી કબૂલાત
- નવજાત શિશુને રૂ.3 લાખ 60 હજારમાં ખરીદ્યું હતુ
Ahmedabad: અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને ગુજરાત ATS ની સયુંકત કામગીરી દ્વારા આંતરરાજ્ય બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ કર્યો છે. નવજાત શિશુને બચાવી ત્રણ લોકોની ધરપકડ કરાઇ છે. તેમજ આરોપીની પૂછપરછ દરમિયાન આરોપીઓની મોટી કબૂલાત સામે આવી છે. તેમાં નવ નવજાત શિશુને હિંમતનગર પાસે મુન્નુ નામના વ્યક્તિ પાસેથી રૂ.3 લાખ 60 હજારમાં ખરીદ્યું હતું. તેમજ ગુજરાત, તેલંગાણા અને ઉત્તર પ્રદેશમાં ફેલાયેલા ગેરકાયદેસર વેપાર નેટવર્કમાં સામેલ ત્રણ વ્યક્તિઓની ધરપકડ થતા આંતરરાજ્ય બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ થયો છે.
અત્યાર સુધીમાં 30થી વધુ બાળકો વેચ્યા હોવાનો ઘટસ્ફોટ
એરપોર્ટની બાઉન્ડ્રી વોલ પાસે કોતરપુર પમ્પિંગ સ્ટેશન નજીકથી આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમજ આરોપીઓ સાથે હિંમતનગરથી એરપોર્ટ તરફ આવી રહેલી સફેદ કારમાં એક નવજાત શિશુ મળી આવ્યું હતુ. અગાઉ પણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાંથી બાળકો ચોરીનું રેકેટ ઝડપાયું હતુ. જેમાં નવજાત બાળકોને ચોરીને દિલ્હીમાં વેચવામાં આવતા હતા. દિલ્હી પોલીસે આંતરરાજ્ય માનવ તસ્કરી કરતી ગેંગ ઝડપી હતી. ગેંગના ત્રણ સાગરિત ઝડપાયા હતા તેમજ લીડર સરોજ હાલમાં ફરાર છે. પોલીસને માનવ તસ્કર ગેંગ પાસેથી એક નવજાત બાળક મળ્યું હતુ. અત્યાર સુધીમાં 30થી વધુ બાળકો વેચ્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
બાળ તસ્કરીના આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ । Gujarat First @GujaratPolice @AhmedabadPolice #ChildTrafficking #InterstateRacket #AhmedabadCrime #CrimeBranch #ATS #HumanTrafficking #GujaratNews #BreakingNews #PoliceAction #gujaratfirst pic.twitter.com/7GMGmCHph4
— Gujarat First (@GujaratFirst) January 29, 2026
Ahmedabad: રૂ.5થી 10 લાખમાં શ્રીમંત પરિવારોને બાળકો વેચતા
રૂ.5થી 10 લાખમાં શ્રીમંત પરિવારોને બાળકો વેચતા હતા. જેમાં ગુજરાત-રાજસ્થાન સરહદેથી આદિવાસી બાળકોની તસ્કરી કરવામાં આવતી હતી. પાલી વિસ્તારમાં વધુ બાળકોને ચોર્યા હોવાનો પણ ખુલાસો થયો હતો. અંજલી, યાસ્મીન અને જીતેન્દ્ર નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં દિલ્હી-NCRના શ્રીમંત પરિવારોને બાળકો વેચતા હતા. દિલ્હી પોલીસે આંતરરાજ્ય માનવ તસ્કરી રેકેટનો પર્દાફાશ કર્યો હતો.
આદિવાસી સમુદાયના બાળકોને નિશાન બનાવવામાં આવ્યા
અગાઉના આરોપીઓ પાસેથી એક 4 દિવસનું નવજાત બાળક પણ મળી આવ્યું હતુ. તપાસમાં માનવ તસ્કરી ગેંગ લીડર સરોજ નામની મહિલાનું નામ સામે આવ્યું હતુ. પોલીસે બાળમાનવની તસ્કરી કરતી ગેંગના અન્ય સાગરિતો અને બાળકો ખરીદનારા માતા-પિતા સહિતના આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા. અત્યાર સુધીમાં આ ગેંગ દિલ્હી-એનસીઆરના શ્રીમંત પરિવારોને 30 થી વધુ બાળકોને વેચી ચૂકી છે. પૂછપરછ દરમિયાન આરોપીઓએ જણાવ્યું કે સરોજના કહેવા પર તેઓ રાજસ્થાન અને ગુજરાતના સરહદી વિસ્તારોમાંથી ગરીબ પરિવારોના બાળકોની ચોરી કરતા હતા. ખાસ કરીને આદિવાસી સમુદાયના બાળકોને નિશાન બનાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: Rajkot Demolition: આજી નદી પટ્ટ વિસ્તારમાં 1500 મકાન ડિમોલિશન મામલે સ્થાનિકોમાં આક્રોશ


