Ahmedabad News: અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં સામાન્ય લોકોના રસોડાનું બજેટ ફરી એકવાર ખોરવાઈ જવાની તૈયારીમાં છે. ઓગસ્ટ મહિનાથી ખાદ્યતેલના ભાવમાં ફરીથી વધારો થવાની પ્રબળ શક્યતા સેવાઈ રહી છે.
Ahmedabad News: અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં સામાન્ય લોકોના રસોડાનું બજેટ ફરી એકવાર ખોરવાઈ જવાની તૈયારીમાં છે. ઓગસ્ટ મહિનાથી ખાદ્યતેલના ભાવમાં ફરીથી વધારો થવાની પ્રબળ શક્યતા સેવાઈ રહી છે. છેલ્લા 4 થી 5 મહિનામાં અનેક ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે, જેમાં પામ, સોયા, સૂર્યમુખી અને સરસવ તેલ વધુ મોંઘા બન્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સર્જાયેલી તેજી અને આયાત ખર્ચમાં થયેલો વધારો આ મોંઘવારી પાછળનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. આગામી તહેવારોની સિઝન પહેલા જ ગ્રાહકોના ખિસ્સા પર આર્થિક ભાર વધુ વધવા જઈ રહ્યો છે.
Ahmedabad માં રસોડા પર મોંઘવારીનો વધુ એક માર
આ અંગે ગ્લોબલ બિઝનેસ ફાઉન્ડેશન (IBF) ના સેક્રેટરી ડો. હિરેન ગાંધીએ જણાવ્યું છે કે, રાશનની લગભગ 99 ટકા વસ્તુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 5 મહિનામાં ખાદ્યતેલના ભાવમાં રૂ. 8 સુધીનો, દાળના ભાવમાં રૂ. 6 સુધીનો, દૂધમાં રૂ. 3 અને ખાંડમાં રૂ. 2.25 સુધીનો વધારો નોંધાયો છે. હાલની સ્થિતિ જોતા દાળમાં 5 થી 10 ટકા અને ખાદ્યતેલમાં 3 થી 8 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે, જેમાં ખાદ્યતેલ અને દાળના ભાવમાં સૌથી મોટો ઉછાળો આવ્યો છે.
શા માટે વધી રહ્યા છે ભાવ?
નોંધનીય છે કે, ઈરાન-ઈઝરાયલ વચ્ચેનો તણાવ અને વૈશ્વિક બજારની અસ્થિરતાની સીધી અસર ખાદ્ય સામગ્રીઓ પર પડી છે. આ ઉપરાંત, નબળું ચોમાસું અને ઊંચા આયાત ખર્ચના કારણે મોંઘવારીનું દબાણ સતત યથાવત રહ્યું છે. આગામી ઓગસ્ટથી લઈને નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારો વચ્ચે ભાવ હજુ વધુ વધી શકે છે અને આગામી 2 થી 4 મહિનામાં મોંઘવારી વધુ ચઢી શકે તેવી આશંકા છે, જેના કારણે સામાન્ય પરિવારોનું રસોડાનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે.
આ પણ વાંચો: Gandhinagar News: વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અને કોમનવેલ્થ ગેમ્સને લઈને સરકારની તૈયારી તેજ, મુખ્યમંત્રી અને મંત્રીઓ જશે વિદેશ પ્રવાસે