Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Iscon Bridge Hit and Run Case: જેલમાંથી બહાર આવ્યો તથ્ય પટેલ, 34 મહિના બાદ પિતા પુત્રને લેવા પહોંચ્યા જેલ

Ahmedabad Hit and Run: અમદાવાદના ચકચારી ઇસ્કોન બ્રિજ જગુઆર હિટ એન્ડ રન કેસના મુખ્ય આરોપી તથ્ય પટેલને સુપ્રીમ કોર્ટ દ્વારા 1 કરોડ જમા કરાવવાની આકરી શરતે નિયમિત જામીન મળતાં આજે સાબરમતી જેલમાંથી મુક્ત કરાયો છે. જુલાઈ 2023ના અકસ્માતમાં 9 લોકોના મોત નિપજાવનાર તથ્ય અંદાજે 34 મહિના જેલમાં રહ્યો હતો, જેને લેવા પિતા પ્રજ્ઞેશ પટેલ જેલ પહોંચ્યા હતા.
iscon bridge hit and run case  જેલમાંથી બહાર આવ્યો તથ્ય પટેલ  34 મહિના બાદ પિતા પુત્રને લેવા પહોંચ્યા જેલ
Advertisement

Tathya Patel Released: અમદાવાદ (Ahmedabad) શહેરના ઇતિહાસના સૌથી ભયાનક અને બહુચર્ચિત એવા ઇસ્કોન બ્રિજ જગુઆર હિટ એન્ડ રન (Iscon Bridge Jaguar Hit and Run Case) કેસના મુખ્ય આરોપી તથ્ય પટેલ (Tathya Patel)ને આખરે લાંબા સમય બાદ જેલમાંથી મુક્તિ મળી છે. દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ (Supreme Court) દ્વારા નિયમિત જામીન મંજૂર કરાયા બાદ આજે તમામ કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કરીને તેને સાબરમતી સેન્ટ્રલ જેલ (Sabarmati Central Jail)માંથી મુક્ત કરવામાં આવ્યો છે. જુલાઈ 2023ની એ કાળી રાત્રિ બાદથી જ તથ્ય પટેલ સતત જેલના સળિયા પાછળ દિવસો વિતાવી રહ્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશની નકલ અમદાવાદની નીચલી અદાલત અને જેલ પ્રશાસનને મળ્યા બાદ આજે સત્તાવાર રીતે તેને મુક્ત કરવાની કાનૂની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી.

પિતા પ્રજ્ઞેશ પટેલ પુત્રને લેવા સાબરમતી જેલ ખાતે પહોંચ્યા

આજે જ્યારે તથ્ય પટેલ (Tathya Patel) જેલના મુખ્ય દરવાજામાંથી બહાર આવ્યો ત્યારે તેના પિતા પ્રજ્ઞેશ પટેલ (Pragnesh Patel) પોતે તેને લેવા માટે જેલ પરિસર ખાતે હાજર રહ્યા હતા. જેલમાંથી બહાર આવતા જ કાનૂની કાગળોની ચકાસણી પતાવી પ્રજ્ઞેશ પટેલ પોતાના પુત્રને લઈને ઘરે જવા રવાના થયા હતા. આ સમયે મીડિયાકર્મીઓનો ભારે જમાવડો જેલની બહાર જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે અકસ્માતની એ ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં તથ્ય પટેલ અને તેના પિતા વિરુદ્ધ ભારે જનઆક્રોશ ફાટી નીકળ્યો હતો, જેના કારણે સામાજિક અને કાનૂની સ્તરે પણ આ કેસ રાજ્યભરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો.

Advertisement

જુલાઈ 2023નો એ ગોઝારો અકસ્માત: જેણે 9 નિર્દોષોના જીવ લીધા

આ સમગ્ર મામલાની વિગત એવી છે કે જુલાઈ 2023માં અમદાવાદના ધમધમતા ઇસ્કોન બ્રિજ (Iscon Bridge) પર અગાઉ થયેલા એક નાના અકસ્માતને જોવા માટે લોકોનું ટોળું એકઠું થયું હતું. તે સમયે કલ્પના બહારની તેજ ઝડપે આવી રહેલી એક વૈભવી જગુઆર (Jaguar) કારે આ ભીડને અડફેટે લીધી હતી. આ કાળઝાળ ઝડપે આવી રહેલી કાર ચલાવી રહેલો યુવક તથ્ય પટેલ (Tathya Patel) હતો. આ હૃદયદ્રાવક અકસ્માતમાં ઘટનાસ્થળે અને હોસ્પિટલમાં થઈને કુલ 9 નિર્દોષ લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધું હતું.

Advertisement

1 કરોડની આકરી શરત સાથે સુપ્રીમ કોર્ટે મંજૂર કર્યા જામીન

સ્થાનિક અદાલત અને હાઇકોર્ટ (High Court)માંથી વારંવાર જામીન અરજીઓ ફગાવી દેવામાં આવ્યા બાદ, અંતે બચાવ પક્ષે સુપ્રીમ કોર્ટ (Supreme Court)ના દરવાજા ખટખટાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે આરોપી દ્વારા જેલમાં વિતાવેલા સમયને ધ્યાનમાં રાખીને તેને નિયમિત જામીન આપ્યા છે. જો કે, કોર્ટે જામીન આપવાની સાથે એક અત્યંત આકરી શરત પણ મૂકી છે, જે અંતર્ગત તથ્ય પટેલે 1 કરોડની માતબર રકમ કોર્ટમાં જમા કરાવવાની રહેશે. આ શરત અને કાનૂની નિયમોનું પાલન કર્યા બાદ જ જેલ તંત્ર દ્વારા આજે તેની મુક્તિ થઈ છે. તથ્ય અંદાજે 2 વર્ષ અને 10 મહિના (લગભગ 34 મહિના) જેલમાં બંધ રહ્યો હતો.

આ પણ વાંચો: Iskon Bridge Accident Case: પોણા ત્રણ વર્ષના જેલવાસ બાદ તથ્ય પટેલ થશે જેલમુક્ત , જાણો કેસને લગતી અત્યાર સુધીની અપડેટ

Tags :
Advertisement

.

×