Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Ahmedabad: નોટિસ અને વળતર વિના મકાનો તોડાયાના આક્ષેપ! તંત્રએ શું આપ્યો જવાબ?

અમદાવાદના જગતપુર (Jagatpur) વિસ્તારમાં 12 મીટરના ટીપી રોડમાં અવરોધરૂપ બાંધકામોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે તોડી પાડવામાં આવ્યા હતા. સ્થાનિક રહીશોએ નોટિસ અને વળતર વગર મકાનો તોડ્યા હોવાનો ગંભીર આક્ષેપ કરી વિરોધ નોંધાવ્યો હતો. આ કામગીરીનો હેતુ રસ્તો ખુલ્લો કરી ટ્રાફિકની સમસ્યા ઘટાડવાનો છે.
ahmedabad  નોટિસ અને વળતર વિના મકાનો તોડાયાના આક્ષેપ  તંત્રએ શું આપ્યો જવાબ
Advertisement
  • Ahmedabad Demolition: જગતપુર વિસ્તારમાં ડિમોલિશનની કાર્યવાહી
  • ડિમોલિશનને પગલે સ્થાનિક રહીશોનો દ્વારા વિરોધ કરાયો
  • જગતપુર બ્રિજ નીચે 12 મીટર ટીપી રોડમાં ડિમોલિશન

Ahmedabad Demolition: અમદાવાદ શહેરના જગતપુર (Jagatpur) વિસ્તારમાં આજે મ્યુનિસિપલ કોર્પોરેશન (Municipal Corporation) દ્વારા રોડ કપાતમાં આવતા બાંધકામો દૂર કરવાની મોટી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જગતપુર બ્રિજ (Jagatpur Bridge) નીચે આવેલા 12 મીટરના ટીપી રોડ (Town Planning Road) માં અવરોધરૂપ બનતા અનેક કાચા-પાકા બાંધકામો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. લાંબા સમયથી પડતર આ રોડના કામને વેગ આપવા માટે કોર્પોરેશન દ્વારા આ આકરું પગલું લેવામાં આવ્યું છે.

Ahmedabad Demolition: સ્થાનિક રહીશોનો ભારે વિરોધ અને આક્ષેપો

જેવું ડિમોલિશન શરૂ થયું, કે તરત જ સ્થાનિક રહીશો (Local Residents) મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને તંત્રની કામગીરીનો ઉગ્ર વિરોધ (Protest) કર્યો હતો. રહીશોનો મુખ્ય આક્ષેપ છે કે તંત્ર દ્વારા કોઈ પણ જાતની પૂર્વ નોટિસ (Prior Notice) આપ્યા વગર જ આ તોડફોડ કરવામાં આવી છે. લોકોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેમને વૈકલ્પિક આવાસ કે વળતર (Compensation) વિશે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી અને સીધું જ તેમના ઘર તોડી પાડવામાં આવ્યા છે. જો કે બીજી તરફ આ વિસ્તારના મ્યુનિસિપલ કોર્પોરેશનના ટીડીઓએ કહ્યું કે નોટીસ આપવામાં આવી હતી અને નડતરરુપ દબાણો દૂર કરાયા છે.

Advertisement

આ પણ વાંચોઃ Ahmedabad: રિવરફ્રન્ટ નજીક સર્જાયો અકસ્માત: એકસાથે ચાર વાહનો અથડાતા ટ્રાફિકના દ્રશ્યો

Advertisement

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી

સ્થિતિ વણસે નહીં અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસની ટીમો (Police Teams) ને ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવી હતી. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કોર્પોરેશનના અધિકારીઓએ પોતાની કામગીરી ચાલુ રાખી હતી. જેસીબી (JCB) મશીનો દ્વારા રસ્તામાં નડતરરૂપ તમામ બાંધકામોને તોડીને રસ્તો ખુલ્લો કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.

ટ્રાફિકની સમસ્યામાં મળશે રાહત

તંત્રના જણાવ્યા અનુસાર, આ 12 મીટરનો રોડ ખુલ્લો થવાથી આસપાસના વિસ્તારોમાં ટ્રાફિકની (Traffic) સમસ્યા હલ થશે અને કનેક્ટિવિટી વધુ સારી બનશે. જોકે, બીજી તરફ પોતાના ઘર ગુમાવનાર પરિવારો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે. કોર્પોરેશનના આ ઓચિંતા પગલાંએ જગતપુર વિસ્તારમાં ભારે ચર્ચા જગાડી છે.


આ પણ વાંચોઃ Ahmedabad: ઘીકાંટા વિસ્તારમાં મકાન ધરાશાયી, 1 મહિલાએ ગુમાવ્યો જીવ

Tags :
Advertisement

.

×