Ahmedabad NRI Tower Case : દંપતિનાં મોત મુદ્દે ACP નું નિવેદન, કહ્યું- બહાર જમીને આવ્યા બાદ...!
- અમદાવાદના NRI ટાવરમાં પતિએ પત્નીને ગોળી મારી
- યશરાજસિંહ ગોહિલે પત્નીની હત્યા બાદ કર્યો આપઘાત
- 108 પહોંચે તે પહેલાં જ બંનેના મોત, પોલીસ તપાસ શરૂ
- ભાવનગરના વતનમાં શોક, ખુશ દેખાતા દંપતીનો કરુણ અંજામ
- સર્વિસ રિવોલ્વરનો ઉપયોગ, ઘટના પાછળનું કારણ અકબંધ
Ahmedabad NRI Tower Case : અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા સેટેલાઈટમાં આવેલા એનઆરઆઈ ટાવર (NRI Tower)માં મોડી રાત્રે એક હચમચાવી દેનારી ઘટના બની છે. અહીં રહેતા યશરાજસિંહ ગોહિલ (Yashrajsinh Gohil) અને તેમની પત્ની રાજેશ્વરીબા ગોહિલ (Rajeshwariba Gohil)ના શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ મામલો હત્યા બાદ આત્મહત્યાનો હોવાનું પોલીસ માની રહી છે. પતિએ પોતાની સર્વિસ રિવોલ્વર (Service Revolver) વડે પત્ની પર ફાયરિંગ કર્યા બાદ પોતે પણ આપઘાત કરી લીધો હતો.
Ahmedabad NRI Tower Case : પોલીસ તપાસનો ધમધમાટ
ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ કેસ અંગે માહિતી આપતા એસીપી (Assistant Commissioner of Police) એ જણાવ્યું હતું કે, પોલીસને મોડી રાત્રે આ ઘટના અંગેનો મેસેજ મળ્યો હતો. પોલીસ તપાસ (Police Investigation)માં સામે આવ્યું છે કે યશરાજસિંહે પહેલા પત્ની રાજેશ્વરીબાને ગોળી મારી હતી. ત્યારબાદ તેમણે પોતાની માતાને ફોન કરીને જાણ કરી હતી કે પત્નીને હોસ્પિટલ (Hospital) લઈ જવાની છે. જોકે, 108 એમ્બ્યુલન્સ (108 Ambulance) ની ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ યશરાજસિંહે પણ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે સત્યના મૂળ સુધી પહોંચવા માટે પોસ્ટમોર્ટમ (Postmortem) અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ની મદદ લીધી છે. હાલ પોલીસ દરેક પાસા અને એંગલથી ઝીણવટભરી તપાસ કરી રહી છે.
અમદાવાદમાં દંપતિના મોત મુદ્દે ACPનું નિવેદન
"ગઈકાલે મોડી રાત્રે પોલીસ ને મેસેજ મળ્યો હતો"
"ગોળી મારી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે"
"રાજેશ્વરી ગોહિલ અને યશરાજસિંહ ગોહિલનું મોત થયું હતું"#AhmedabadCrime #CoupleDeath #YashrajsinhGohil #ServiceRevolver #ACPStatement #Police… pic.twitter.com/tvBx25qtRV— Gujarat First (@GujaratFirst) January 22, 2026
બહાર જમીને આવ્યા અને મોતનું તાંડવ
સ્થાનિક સૂત્રો અને પાડોશીઓના જણાવ્યા અનુસાર, મૃતક દંપતી ઘટનાની રાત્રે જ બહાર જમીને પરત ફર્યું હતું. તે સમયે બંનેના ચહેરા પર ખુશી હતી અને કોઈ પણ પ્રકારનો વિવાદ જણાતો ન હતો. અચાનક રાત્રે એવું તો શું બન્યું કે હસતા-રમતા પરિવારે આવું આત્યંતિક પગલું ભરવું પડ્યું, તે એક મોટું રહસ્ય બની ગયું છે. ગુજરાતમાં વધતા જતા ક્રાઈમ રેટ (Crime in Gujarat) વચ્ચે આ ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે. શું કોઈ માનસિક તણાવ (Mental Health Issue) હતો કે પછી કોઈ કૌટુંબિક કલેશ? તે દિશામાં પોલીસ તપાસ ચાલી રહી છે.
એકના એક દીકરાના અકાળે મોતથી આક્રંદ
આ કરુણ ઘટનાના પડઘા મૃતકના વતન ભાવનગર (Bhavnagar) જિલ્લાના ઉમરાળા તાલુકાના લીમડા ગામ (Limda Village) સુધી પડ્યા છે. યશરાજસિંહ પરિવારના એકના એક દીકરા હતા. સમાચાર મળતાની સાથે જ લીમડા ગામમાં સ્વયંભૂ સજ્જડ બંધ પાળવામાં આવ્યો હતો. દંપતીના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર (Funeral Rites) માટે તેમના વતન લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ગમગીન વાતાવરણમાં તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી. આખો પરિવાર અને ગામ અત્યારે ઊંડા શોકમાં ગરકાવ છે.
આ પણ વાંચો : Ahmedabad Plane Crash મુદ્દે મોટા સમાચાર, અમેરિકાની સંસદમાં કરાયો ગંભીર દાવો


