Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Ahmedabad: હોળી-ધૂળેટીના પર્વ નિમિત્તે ગીતા મંદિર બસ સ્ટેન્ડ પર મુસાફરોનો ધસારો, એસટી નિગમે દોડાવી એક્સ્ટ્રા બસો

હોળી-ધૂળેટીના પર્વ નિમિત્તે અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડ પર શ્રમિકો અને મુસાફરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે, જેને પહોંચી વળવા માટે એસટી નિગમ દ્વારા 300 થી વધુ એક્સ્ટ્રા બસો અને 1000 થી વધુ વધારાની ટ્રિપ્સનું આયોજન કરવામાં આવ્યું છે.
ahmedabad  હોળી ધૂળેટીના પર્વ નિમિત્તે ગીતા મંદિર બસ સ્ટેન્ડ પર મુસાફરોનો ધસારો  એસટી નિગમે દોડાવી એક્સ્ટ્રા બસો
Advertisement
  • Ahmedabad: હોળી-ધૂળેટી પર્વની અસર
  • ગીતા મંદિર બસ સ્ટેન્ડ પર પેસેન્જરોની ભારે ભીડ
  • શ્રમિકોનું વતન તરફ પ્રયાણ, પંચમહાલ અને સૌરાષ્ટ્ર જતી બસોમાં ભારે ધસારો
  • એસટી નિગમનું મેગા આયોજન, મુસાફરો માટે 300થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવાઈ
  • 1000 થી વધુ ટ્રિપ્સનો વધારો, ભીડને પહોંચી વળવા એસટી વિભાગનું વિશેષ સંચાલન

Ahmedabad: હોળી (Holi) અને ધૂળેટીના પર્વ નિમિત્તે અમદાવાદમાં વસતા શ્રમિકો (Workers) અને અન્ય લોકો પોતાના વતન તરફ પ્રયાણ કરી રહ્યા છે. ખાસ કરીને અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડ (Bus Stand) પર પેસેન્જરોનો (Passengers) ભારે ધસારો જોવા મળી રહ્યો છે. પંચમહાલ, ગોધરા, દાહોદ અને સૌરાષ્ટ્ર (Saurashtra) સહિતના વિસ્તારોમાં જવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.

Ahmedabad Holi 01_GUJARAT_FIRSTAhmedabad: શ્રમિકોએ પકડી વતનની વાટ

તહેવારની ઉજવણી કરવા માટે શ્રમિકો (Laborers) મોટી સંખ્યામાં અમદાવાદથી પોતાના વતન જઈ રહ્યા છે. બસ સ્ટેશન પર વહેલી સવારથી જ લાંબી કતારો જોવા મળી રહી છે. મુસાફરોની આ ભારે ભીડને (Crowd) ધ્યાનમાં રાખીને એસટી વિભાગ (ST Department) દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

આ પણ વાંચો--- Tharad: થરાદમાં હોળીના તહેવારે મુસાફરોની માઠી દશા, રાજસ્થાન તરફ જતી ખાનગી બસોમાં જીવના જોખમે મુસાફરી

Advertisement

Ahmedabad: એસટી નિગમનું વિશેષ સંચાલન

ભીડને પહોંચી વળવા માટે એસટી નિગમ (ST Corporation) દ્વારા અમદાવાદથી ૩૦૦થી વધુ એક્સ્ટ્રા બસો (Extra Buses) મૂકવામાં આવી છે. આ ઉપરાંત, મુસાફરોની સુવિધા માટે 1 હજારથી વધુ ટ્રિપ (Trips) વધારવામાં આવી છે. તેમ છતાં, મુસાફરોનો ધસારો એટલો વધારે છે કે બસ સ્ટેશન પર ચારેતરફ ભીડ જોવા મળી રહી છે.

Ahmedabad Holi 02_GUJARAT_FIRST

Ahmedabad: મુસાફરોને હાલાકી

વધુ પડતા ઘસારાના (Rush) કારણે બસ સ્ટેશન પર મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન (Management) કરવામાં આવી રહ્યું હોવા છતાં, મુસાફરોની સંખ્યા સતત વધી રહી છે. તંત્ર દ્વારા મુસાફરોને શાંતિ જાળવવા અને વ્યવસ્થામાં સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.

મુસાફરોએ તહેવારના સમયે ભીડથી બચવા માટે શક્ય હોય તો એડવાન્સ બુકિંગ (Advanced Booking) કરાવવું જોઈએ જેથી મુસાફરી (Journey) સુખદ બની શકે.

આ પણ વાંચો--- Navsari : ચાલુ બસે ડ્રાઈવર ફોન પર વાત કરતો હતો અને સર્જાયો અકસ્માત, 11 ઘાયલ

Tags :
Advertisement

.

×