Ahmedabad Plane Crash : વધુ એક દુ:ખદ સમાચાર, ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર મહેશ કાલાવાડિયાનું મોત
પ્લેન ક્રેશ દુર્ઘટના સમયે મહેશભાઈ કાલાવાડિયા વાહન લઈ પસાર થતા હતા. દરમિયાન તેમનું મોત થયું હતું.
Advertisement
- અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં વધુ એક દુ:ખદ સમાચાર આવ્યા (Ahmedabad Plane Crash)
- ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર મહેશભાઈ કાલાવાડિયા ઊર્ફે જીરાવાલાનું પણ થયું મોત
- દુર્ઘટના બાદથી ગુમ હતા, પરિવારે નરોડા પોલીસ સ્ટેશનમાં કરી હતી જાણ
- પોલીસે પરિવારજનોનાં DNA સેમ્પલ લીધા હતા અને શોધખોળ આદરી હતી
- એક્ટિવાનાં ચેસીસ નંબર અને DNA થી મહેશભાઈની ઓળખ થઈ
- પ્લેન ક્રેશ દુર્ઘટના સમયે મહેશભાઈ કાલાવાડિયા વાહન લઈ પસાર થતા હતા
Ahmedabad Plane Crash : અમદાવાદની એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં વધુ એક દુ:ખદ સમાચાર આવ્યા છે. ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર મહેશભાઈ કાલાવાડીયા (Maheshbhai Kalavadiya) ઊર્ફે જીરાવાલાનું પણ આ ગોઝારી પ્લેન દુર્ઘટના દરમિયાન મોત થયું હોવાની માહિતી સામે આવી છે. પ્લેન ક્રેશની દુર્ઘટના બાદથી મહેશભાઈ ગુમ હતા. આથી, પરિવારજનોએ નરોડા પોલીસ સ્ટેશનમાં (Naroda Police Station) આ અંગે જાણ કરી હતી. પોલીસે પરિવારજનોનાં DNA સેમ્પલ લીધા હતા. મળેલ મૃતદેહ સાથે પરિવારજનોનાં DNA સેમ્પલ મેચ થતાં ફિલ્મ ડિરેક્ટર મહેશભાઈનું મોત થયું હોવાનું પુરવાર થયું હતું. ભારે હૈયે પરિવારજનો દ્વારા મહેશભાઈની આજે અંતિમ વિધિ કરવામાં આવી છે.

