Ahmedabad RTO ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, કચેરી ખાલી કરાવાઈ
- અમદાવાદ RTO ને (Ahmedabad RTO) બોમ્બથી ઉડાવવાની ધમકી
- ધમકીભર્યો મેસેજ મળતા જ તંત્ર હરકતમાં
- અમદાવાદ RTO કચેરીને તાત્કાલિક ખાલી કરાવાઈ
- ટેસ્ટ આપવા આવેલા લોકોને પરત મોકલાયા
- પોલીસ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા સઘન ચેકિંગ
Ahmedabad RTO Bomb Threat: અમદાવાદના સુભાષબ્રિજ વિસ્તારમાં આવેલી મુખ્ય આરટીઓ (RTO - Regional Transport Office) કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ધમકીભર્યો મેસેજ મળતા જ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું અને સાવચેતીના ભાગરૂપે પગલાં લેવાની શરૂઆત કરી હતી.
RTO કચેરી તાત્કાલિક ખાલી કરાવાઈ
બોમ્બની ધમકી મળતા જ RTO પ્રશાસન દ્વારા કચેરીમાં કામ કરી રહેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આ સમયે કચેરીમાં મોટી સંખ્યામાં અરજદારો પણ ઉપસ્થિત હતા, જેમને પણ તાત્કાલિક પરિસર ખાલી કરવા સૂચના આપવામાં આવી હતી.
Ahmedabad RTO bomb threat: અમદાવાદ RTOને બોમ્બથી ઉડાવવાની ધમકી
ધમકી બાદ RTO તાત્કાલિક ખાલી કરાવાયું
ટ્રેક ટેસ્ટ માટે આવેલા લોકોને પરત મોકલાયા
પોલીસે સ્થળ પર પહોંચી સઘન તપાસ શરૂ કરી
સુરક્ષાને ધ્યાનમાં રાખી વિસ્તાર કોર્ડન કરવામાં આવ્યો
સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ#Ahmedabad #RTONews… pic.twitter.com/edZ6UImxzq— Gujarat First (@GujaratFirst) April 6, 2026
ટેસ્ટ આપવા આવેલા લોકોને પરત મોકલાયા
આજે ડ્રાઇવિંગ લાયસન્સ માટે પાકા ટેસ્ટ (Driving Test Track) આપવા આવેલા સેંકડો લોકોને પણ કોઈ પણ ટેસ્ટ લીધા વગર પરત મોકલી દેવામાં આવ્યા હતા. RTO ના તમામ કામકાજ અટકાવી દેવામાં આવ્યા છે અને કચેરીના મુખ્ય દરવાજા બંધ કરી દેવાયા છે. લોકોમાં ભય અને કુતૂહલનો માહોલ જોવા મળી રહ્યો છે.આ ધમકી કોણે અને કયા માધ્યમથી આપી છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
RTO ને મળેલી ધમકી અંગે એલ ડિવિઝનના ACP દિગ્વિજયસિંહ રાણાનું નિવેદન
અમદાવાદ એલ ડિવિઝનના ACP દિગ્વિજયસિંહ રાણાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું કે, વહેલી સવારે 3:48 કલાકે એક ઈમેલ મળ્યો હતો, જેમાં 13 ઝેરી ગેસના ઉપયોગથી કચેરી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ અંગે RTO અધિકારીને સવારે 8 વાગે જાણ થતા તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ કાફલો, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સાથે તપાસ માટે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. હાલમાં તપાસ ચાલુ છે અને અત્યાર સુધી કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી નથી. તપાસ પૂર્ણ થયા બાદ તમામ સ્ટાફને પુનઃ કામ પર જવાની મંજૂરી આપવામાં આવશે.


