Ahmedabad: ભારે વરસાદથી પડેલી રજાઓને લઇ નિર્ણય, રવિવારે સ્વૈચ્છિક રીતે શાળાઓ ચાલુ રાખી શકાશે
અમદાવાદ શહેરમાં અતિશય વરસાદના કારણે શૈક્ષણિક કાર્યમાં પડેલી અડચણોને દૂર કરવા માટે તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓના અભ્યાસને નુકસાન ન પહોંચે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા વિશેષ છૂટછાટ આપવામાં આવી છે, જેનાથી શાળાઓ પોતાના સ્તરે યોગ્ય આયોજન કરી શકશે. આ નવા પરિપત્રના કારણે વાલીઓ અને શાળાઓમાં ચર્ચા શરૂ થઈ છે.
Advertisement
Ahmedabad School Holidays: ગુજરાતમાં ચોમાસાની સીઝન દરમિયાન અતિભારે વરસાદના કારણે જનજીવનની સાથે-સાથે શૈક્ષણિક કાર્ય પર પણ મોટી અસર પડતી હોય છે. તાજેતરમાં અમદાવાદ (Ahmedabad) શહેરમાં પડેલા ભારે વરસાદના પગલે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શાળાઓમાં રજાઓ જાહેર કરવામાં આવી હતી. જોકે, આ રજાઓના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં મોટો વિક્ષેપ સર્જાયો હતો, જેને લઈને જિલ્લા શિક્ષણ અધિકારી (DEO Ahmedabad) દ્વારા એક મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

