ફાંસીની સજા પામેલા તમામ 38 દોષિતોના નામની યાદી
ઝાહિદ ઉર્ફે જાવેદ કુતબુદ્દીન શેખ
ઇમરાન ઇબ્રાહિમ શેખ
ઇકબાલ ઉર્ફે ઇકરાર કાસમ શેખ
શમસુદ્દીન ઉર્ફે શમસુ શહાબુદ્દીન શેખ
ગયાસુદ્દીન ઉર્ફે ગયાસુ અબ્દુલસલીમ અન્સારી
મોહમ્મદ આરિફ મોહમ્મદ ઇકબાલ કાગઝી
મોહમ્મદ ઉસ્માન ઉર્ફે ઉસ્માન મોહમ્મદ અનીસ અગરબત્તીવાલા
યુનુસ મોહમ્મદભાઈ મન્સુરી
કમરુદ્દીન ઉર્ફે રાજા ઉર્ફે અબ્દુલ્લા ચાંદમોહમ્મદ નાગોરી
આમિલ પરવેઝ ઉર્ફે સિકંદર કાઝી સૈફુદ્દીન શેખ
શિબલી ઉર્ફે સાબિત અબ્દુલ કરીમ
સફદરહુસૈન ઉર્ફે હુસૈનભાઈ ઉર્ફે ઇકબાલભાઈ ઝહીરુદ્દીન ઉર્ફે ઝહરુલહસન નાગોરી
હાફિઝહુસૈન ઉર્ફે અદનાન ઉર્ફે તમીમ તાજુદ્દીન
મોહમ્મદ સાજિદ ઉર્ફે સલીમ ઉર્ફે સજ્જાદ ઉર્ફે સાદ ગુલામ ખ્વાજા મન્સુરી
અબુબાસર ઉર્ફે મુફ્તી ઉર્ફે અબ્દુલ રશીદ ઉર્ફે અબ્દુલ્લા અબુબકર શેખ
અબ્બાસ ઉમર સમેજા
જાવેદ અહેમદ સાદિર અહેમદ શેખ (સૈયદ)
મોહમ્મદ ઇસ્માઇલ ઉર્ફે અબ્દુલ રાજીક ઉર્ફે મુસાફ ઉર્ફે ફુરકાન મોહમ્મદ ઇશાક મન્સુરી
અફઝલ ઉર્ફે અફસર ઉર્ફે રાજા ઉર્ફે અજિત સિંહ ઉર્ફે સંજય પાંડે ઉર્ફે ઉસ્માની મુતાલિબ ઉસ્માની
મોહમ્મદ આરિફ ઉર્ફે આરિફ બદાર ઉર્ફે લાડન બદરુદ્દીન શેખ ઉર્ફે જુમ્મન શેખ
આસિફ ઉર્ફે હસન બશીરુદ્દીન શેખ
મોહમ્મદ આરિફ નસીમ અહેમદ મિર્ઝા
કયામુદ્દીન ઉર્ફે મુસા ઉર્ફે અશફાક ઉર્ફે અબ્દુલ કાદિર ઉર્ફે રિઝવાન ઉર્ફે સમીર સરફુદ્દીન કાપડિયા
મોહમ્મદ સૈફ ઉર્ફે રાહુલ શર્મા ઉર્ફે કેરીસેવા સદાબ અહેમદ શેખ
ઝીશાન અહેમદ અહેસાનઅહેમદ શેખ
ઝિયા-ઉર-રેહમાન ઉર્ફે મોન્ટુ અબ્દુલ રેહમાન મુસ્લિમ
મોહમ્મદ શકીલ ઉર્ફે શકીલ યામીનખાન લુહાર
મોહમ્મદ અકબર ઇસ્માઇલ ચૌધરી ઉર્ફે સઈદ
ફઝલ-એ-રેહમાન ઉર્ફે સલાઉદ્દીન ઉર્ફે રફીક મુસદ્દિકખાન દુર્રાની
અહેમદબાવા ઉર્ફે અબ્બુ અબુબકર બરેલવી
સરફુદ્દીન ઉર્ફે શરીફ એટ સૈનુદ્દીન ઉર્ફે અબ્દુલસત્તાર ઉર્ફે સલીમ
સૈફ-ઉર-રેહમાન ઉર્ફે સૈફુ ઉર્ફે સૈફ અબ્દુલરહેમાન અન્સારી
સાદુલી ઉર્ફે હારિસ અબ્દુલકરીમ મુસ્લિમ
મોહમ્મદ તનવીર ઉર્ફે તલ્હા મોહમ્મદ અખ્તાર પઠાણ
અમીન ઉર્ફે રાજા અયુદ નઝીર શેખ
મોહમ્મદ મોબીન ઉર્ફે મુબીન ઉર્ફે ઇરફાન અબ્દુલ શકુરખાન
મોહમ્મદ રફીક ઉર્ફે જાવિદ ઉર્ફે આલમઝેબ અફ્રિદી મસ્કુર અહેમદ
તૌસિફખાન ઉર્ફે અતિક સગીર અહેમદખાન પઠાણ
49 લોકોને દોષિત જાહેર થયા
ક્રાઈમ બ્રાન્ચની ટીમે દેશભરમાં ઓપરેશન ચલાવીને કુલ 85 આતંકવાદીઓની ધરપકડ કરી હતી, જેમાં મુફ્તી અબુ બશર અને સફદર નાગોરી જેવા મુખ્ય કાવતરાખોરો સામેલ હતા. સુરતમાં પણ આ જ સમયે લગભગ 17 જીવતા બોમ્બ મળી આવ્યા હતા, જે ડિફ્યુઝ કરીને મોટી દુર્ઘટના અટકાવવામાં આવી હતી. 78 આરોપીઓ સામે કેસ ચલાવવામાં આવ્યો હતો. ફેબ્રુઆરી 2022માં સ્પેશિયલ કોર્ટે 49 લોકોને દોષિત ઠેરવ્યા હતા, જેમાં 38 આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવી હતી. ભારતીય ન્યાયિક ઈતિહાસમાં આ એક ઐતિહાસિક અને રેકોર્ડબ્રેક નિર્ણય હતો.
વર્ષ 2008માં ધણધણી ઉઠ્યું હતું અમદાવાદ
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2008માં અમદાવાદ શહેરમાં એક પછી એક એમ શ્રેણીબદ્ધ સિરિયલ બ્લાસ્ટ (Serial Blasts) થયા હતા. આ આતંકી હુમલામાં અસંખ્ય નિર્દોષ નાગરિકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને સેંકડો લોકો ઘાયલ થયા હતા. આ સમગ્ર કાવતરાની તપાસ લાંબો સમય ચાલી હતી, જેમાં સ્પેશિયલ કોર્ટે તમામ પુરાવા અને સાક્ષીઓના આધારે આકરો ચુકાદો આપ્યો હતો, જેને હવે હાઈકોર્ટે પણ કાયદેસર રીતે યોગ્ય ઠેરવ્યો છે.
અમદાવાદમાં માત્ર 70 મિનિટમાં 21 વિસ્ફોટ
26 જુલાઈ 2008નો દિવસ ભારત, ખાસ કરીને ગુજરાતના ઈતિહાસમાં એક કાળા અધ્યાય સમાન હતો. તે શનિવારે સાંજે 6:30 વાગ્યાથી શરૂ કરીને માત્ર 70 મિનિટના ટૂંકા ગાળામાં અમદાવાદ શહેર 21 સિરિયલ બોમ્બ બ્લાસ્ટથી ધણધણી ઉઠ્યું હતું. આતંકવાદીઓએ શહેરના સૌથી વ્યસ્ત વિસ્તારો જેવા કે મણિનગર, બાપુનગર, હાટકેશ્વર, સારંગપુર, નરોડા અને કાલુપુરને ટાર્ગેટ કર્યા હતા. બોમ્બને અત્યંત ક્રૂરતાપૂર્વક સરકારી બસો, પાર્ક કરેલી સાયકલ અને કારમાં ગોઠવવામાં આવ્યા હતા, જેથી વધુમાં વધુ નુકસાન થઈ શકે.
હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો
2008ના અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજરાત હાઈકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા ટ્રાયલ કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો છે, જેમાં આતંકવાદી હુમલા માટે જવાબદાર 38 દોષિતોને ફાંસીની સજા અને અન્ય 11 દોષિતોને આજીવન કેદની સજા પર મહોર મારી છે. 56 નિર્દોષ લોકોના જીવ લેનાર આ ભયાનક ઘટનાના લાંબા કાયદાકીય સંઘર્ષ બાદ, હાઈકોર્ટના આ કડક અને મહત્વપૂર્ણ નિર્ણયથી પીડિત પરિવારોને લાંબા સમય બાદ અંતિમ ન્યાય મળ્યો છે.
આ પણ વાંચો: Ahmedabad Serial Blast Case: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: 38 દોષિતોની ફાંસી અને 11ની આજીવન કેદની સજા યથાવત