Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : વસ્ત્રાલમાં અસામાજિક તત્વોનો આતંક! પોલીસે કરાવ્યું કાયદાનું ભાન

Ahmedabad : અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં લુખ્ખા તત્વોએ ફરી એકવાર આતંક મચાવ્યો, પરંતુ આ વખતે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આવા અસામાજિક તત્વોને સબક શીખવ્યો છે.
ahmedabad   વસ્ત્રાલમાં અસામાજિક તત્વોનો આતંક  પોલીસે કરાવ્યું કાયદાનું ભાન
Advertisement
  • અમદાવાદમાં લુખ્ખાગીરી કરનારાઓ ચેતી જજો!
  • વસ્ત્રાલમાં લુખ્ખા તત્વોની પોલીસે કરી બરાબર સર્વિસ
  • રાહદારીઓ પર હુમલો કરનારા પોલીસના સકંજામાં
  • શાશ્વત મહાદેવ-2 સોસાયટી બહાર મચાવ્યો હતો આતંક
  • પોલીસે અત્યાર સુધીમાં 9 લુખ્ખાઓની કરી અટકાયત
  • 15થી 20 લુખ્ખાઓના ટોળાએ મચાવ્યો હતો આતંક
  • કાયદાનો દંડો ઉગામતા લુખ્ખાઓની શાન ઠેકાણે આવી
  • ગણતરીના કલાકોમાં પોલીસે લુખ્ખાઓને ઝડપી પાડ્યા
  • પોલીસના નાઈટ પેટ્રોલિંગ સામે ઉઠ્યા હતા સવાલો
  • અવારનવાર લુખ્ખાઓ ખુલ્લેઆમ મચાવે છે આતંક

Ahmedabad : અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં લુખ્ખા તત્વોએ ફરી એકવાર આતંક મચાવ્યો, પરંતુ આ વખતે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આવા અસામાજિક તત્વોને સબક શીખવ્યો છે. શાશ્વત મહાદેવ-2 સોસાયટીની બહાર 15થી 20 લુખ્ખાઓના ટોળાએ રાહદારીઓ પર હુમલો કરીને વાહનોમાં તોડફોડ કરી હતી, જેનાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાએ પોલીસના નાઈટ પેટ્રોલિંગ પર પણ સવાલો ઉભા કર્યા હતા, કારણ કે શહેરમાં અવાર-નવાર આવા તત્વો ખુલ્લેઆમ આતંક મચાવતા જોવા મળે છે. જોકે, આ વખતે અમદાવાદ પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં 9 શખ્સોની અટકાયત કરી લીધી, જેનાથી આ અસામાજિક તત્વોની શાન ઠેકાણે આવી છે.

Advertisement

અસામાજિક તત્વોને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન

આ ઘટનામાં અસામાજિક તત્વોએ રસ્તા પર હંગામો મચાવ્યો હતો. રાહદારીઓને માર મારવા ઉપરાંત, તેમણે વાહનોને નિશાન બનાવીને તોડફોડ કરી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે, આવી ઘટનાઓથી રાત્રે બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. પરંતુ પોલીસે આ વખતે કાયદાનો દંડો ઉગામતા આરોપીઓને સકંજામાં લઈ લીધા છે. અટકાયતમાં લેવાયેલા આ શખ્સો પર કડક કાર્યવાહીની તૈયારી ચાલી રહી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ પર અંકુશ લાગે. અમદાવાદમાં લુખ્ખાગીરીના આવા કિસ્સાઓ નવા નથી, પરંતુ પોલીસની આ ઝડપી કાર્યવાહીના કારણે લોકોએ થોડો રાહતનો શ્વાસ લીધો છે. પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈને બાકીના આરોપીઓને પકડવા માટે તપાસ તેજ કરી છે. આ ઉપરાંત, રાત્રિ પેટ્રોલિંગને વધુ મજબૂત કરવાની માંગ પણ સ્થાનિકો દ્વારા ઉઠવા લાગી છે. આ ઘટના એક ચેતવણી છે કે લુખ્ખાઓએ હવે ચેતી જવું પડશે, કારણ કે કાયદો તેમની સામે નિષ્ક્રિય નહીં રહે.

Advertisement

Advertisement

આ પણ વાંચો :  Ahmedabad : વસ્ત્રાલમાં રાતે લુખ્ખા તત્વોનો આતંક, વાહનોમાં તોડફોડ કરી, લોકો પર હુમલો કર્યો!

Tags :
Advertisement

.

×