Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad: પ્રેમ પ્રકરણમાં બહેનના પ્રેમીએ ભાઈને છરીના ઘા મારી પતાવી દીધો!

Ahmedabad Manish Suthar Murder: વટવા GIDCમાં પ્રેમ પ્રકરણને કારણે મનીષ સુથારની અશ્વિન ઝાલા દ્વારા છરીના 12થી વધુ ઘા મારીને હત્યા કરાઈ. આરોપી મૃતકની બહેનને પ્રેમસંબંધ માટે દબાણ કરતો હતો, જેનો મનીષ વિરોધ કરતો હતો. ગત રાત્રે11 વાગ્યે ત્રિકમપુરા કેનાલ પાસે ઘટના બની. આરોપી ફરાર છે, વટવા પોલીસે શોધખોળ શરૂ કરી છે.
ahmedabad  પ્રેમ પ્રકરણમાં બહેનના પ્રેમીએ ભાઈને છરીના ઘા મારી પતાવી દીધો
Advertisement
  • Ahmedabad માં પ્રેમ પ્રકરણમાં નિર્દય હત્યા
  • વટવા GIDC, ત્રિકમપુરા કેનાલ પાસે બની ઘટના
  • આરોપી અશ્વિન ઝાલાએ મનીષ સુથારને મોતને ઘાટ ઉતાર્યો
  • ફારાર આરોપી અશ્વિન ઝાલાને પકડવા તપાસના ચાલુ
  • આરોપીનો મૃતકની નાની બહેન સાથે પ્રેમસંબંધ હતો

Ahmedabad Manish Suthar Murder:અમદાવાદ શહેરમાં ફરી એકવાર ખૂની ખેલ ખેલાયો છે. વટવા GIDC વિસ્તારમાં આવેલા ત્રિકમપુરા કેનાલની બાજુમાં ગત રાત્રે 11 વાગ્યાની આસપાસ એક યુવકની છરીના અનેક ઘા મારીને બર્બર હત્યા કરી દેવામાં આવી હતી.  મૃતકનું નામ મનીષ સુથાર( Manish Suthar) છે, જે વટવા વિસ્તારનો જ રહેવાસી હતો. હત્યારો અશ્વિન ઝાલા હજુ પોલીસની પકડથી દૂર છે અને તેની ધરપકડ માટે વટવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

દીકરીના પ્રેમસંબંધનો પરિવાર કરતો હતો વિરોધ

ahmedabad Crime_Gujarat_first

Advertisement

આરોપી અશ્વિન ઝાલા મૃતક મનીષ સુથાર(ઉં. આશરે 30 વર્ષ)ની નાની બહેન સાથે છેલ્લા કેટલાક સમયથી પ્રેમસંબંધ ધરાવતો હતો. યુવતીના પરિવારને આ સંબંધ મંજૂર નહોતો. ખાસ કરીને મોટો ભાઈ મનીષ સુથાર આ સંબંધનો સખત વિરોધ કરતો હતો.  બહેન-ભાઈ વચ્ચે સતત ઝઘડો થતો હતો. ગત રાત્રે પણ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બાદ  મનીષને ત્રિકમપુરા કેનાલ પાસે બહેનના પ્રેમી અશ્વિન ઝાલાને ઠપકો આપવા ગયો હતો.

Advertisement

છરીના ઘા ઝીંકી હત્યા

ahmedabad_crime_Gujarat_first

સ્થાનિકોના જણાવ્યા અનુસાર રાત્રે 11 વાગ્યા પછી ચીસો સંભળાઈ હતી. જ્યારે લોકો દોડીને આવ્યા ત્યારે મનીષ સુથાર લોહીથી ખરડાયેલો પડ્યો હતો. તેના મોઢા, ગળા, છાતી અને પેટ પર છરીના ૧૨થી વધુ ઘા હતા.  હુમલો એટલો ઝડપી અને નિર્દય હતો કે મનીષને બચાવવાનો કોઈ મોકો જ ન મળ્યો. 108 એમ્બ્યુલન્સ આવે તે પહેલાં જ તેણે હોસ્પિટલ જતાં રસ્તે દમ તોડી દીધો હતો. જેથી આ બનાવ અંગે મૃતકની બહેન મોનિકાએ અશ્વિન વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા વટવા જીઆઇડીસી પોલીસે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ Ahmedabad ના વટવામાં ભાગવત કથાનું ભવ્ય આયોજન

આ પણ વાંચોઃ Surat: પોલીસને રાધિકાના મોબાઈલમાંથી મળી આવી વોટ્સએપ ચેટ, શું થયા ખુલાસો..!

Tags :
Advertisement

.

×