Ahmedabad: પ્રેમ પ્રકરણમાં બહેનના પ્રેમીએ ભાઈને છરીના ઘા મારી પતાવી દીધો!
Ahmedabad Manish Suthar Murder: વટવા GIDCમાં પ્રેમ પ્રકરણને કારણે મનીષ સુથારની અશ્વિન ઝાલા દ્વારા છરીના 12થી વધુ ઘા મારીને હત્યા કરાઈ. આરોપી મૃતકની બહેનને પ્રેમસંબંધ માટે દબાણ કરતો હતો, જેનો મનીષ વિરોધ કરતો હતો. ગત રાત્રે11 વાગ્યે ત્રિકમપુરા કેનાલ પાસે ઘટના બની. આરોપી ફરાર છે, વટવા પોલીસે શોધખોળ શરૂ કરી છે.
Advertisement
- Ahmedabad માં પ્રેમ પ્રકરણમાં નિર્દય હત્યા
- વટવા GIDC, ત્રિકમપુરા કેનાલ પાસે બની ઘટના
- આરોપી અશ્વિન ઝાલાએ મનીષ સુથારને મોતને ઘાટ ઉતાર્યો
- ફારાર આરોપી અશ્વિન ઝાલાને પકડવા તપાસના ચાલુ
- આરોપીનો મૃતકની નાની બહેન સાથે પ્રેમસંબંધ હતો
Ahmedabad Manish Suthar Murder:અમદાવાદ શહેરમાં ફરી એકવાર ખૂની ખેલ ખેલાયો છે. વટવા GIDC વિસ્તારમાં આવેલા ત્રિકમપુરા કેનાલની બાજુમાં ગત રાત્રે 11 વાગ્યાની આસપાસ એક યુવકની છરીના અનેક ઘા મારીને બર્બર હત્યા કરી દેવામાં આવી હતી. મૃતકનું નામ મનીષ સુથાર( Manish Suthar) છે, જે વટવા વિસ્તારનો જ રહેવાસી હતો. હત્યારો અશ્વિન ઝાલા હજુ પોલીસની પકડથી દૂર છે અને તેની ધરપકડ માટે વટવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

