Ahmedabad: નિકોલમાં પાખંડી ભુવાનો 'વિજ્ઞાન જાથા'એ કર્યો પર્દાફાશ, સંતાન પ્રાપ્તિના નામે ચાલતો હતો ખેલ!
અમદાવાદના (Ahmedabad) નિકોલ વિસ્તારમાં સંતાન પ્રાપ્તિ અને રોગ મટાડવાના બહાને ભોળિયા લોકોને છેતરતા પાખંડી ભુવાનો રાજકોટ વિજ્ઞાન જાથાએ (Vigyan Jatha) પર્દાફાશ કર્યો છે. આ ભુવો વિધિ-વિધાનના નામે લોકો પાસેથી લાખો રૂપિયા પડાવતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પોલીસને સાથે રાખીને કરાયેલા આ ઓપરેશનમાં (Operation) અંધશ્રદ્ધાના (Superstition) નામે ચાલતા આર્થિક શોષણનો અંત આવ્યો છે. જનતામાં વૈજ્ઞાનિક અભિગમ (Scientific Temperament) કેળવાય અને લોકો આવા ગતકડાંથી બચે તે હેતુથી આ કાર્યવાહી કરવામાં આવી છે.
Advertisement
- Ahmedabad: અમદાવાદના નિકોલના ભુવાનો ભાંડાફોડ
- રાજકોટ વિજ્ઞાન જાથાએ પર્દાફાશ કર્યો
- સંતાન પ્રાપ્તિ અને રોગ મટાડવાના નામે ચાલતો હતો પાખંડ
- જુવારના દાણા પીવડાવી રોગ મટાડવાનો દાવો
- વિધિના નામે લાખોની છેતરપિંડી, પોલીસ અને જાથાનો જોઈન્ટ દરોડો!
Ahmedabad: અમદાવાદના (Ahmedabad) નિકોલ વિસ્તારમાં શ્રદ્ધાના નામે અંધશ્રદ્ધાનો (Superstition) કાળો કારોબાર ચલાવતા એક ભુવાનો રાજકોટ વિજ્ઞાન જાથાએ (Vigyan Jatha) પર્દાફાશ કર્યો છે. સંતાન પ્રાપ્તિનો (Childbirth) ખોટો દાવો કરનાર અને નિર્દોષ લોકોને છેતરનાર આ ભુવા રાજુભાઈ પ્રજાપતિની પોલ ખોલવા માટે વિજ્ઞાન જાથાની ટીમે પોલીસને સાથે રાખીને સફળ ઓપરેશન (Operation) પાર પાડ્યું હતું. આ પાખંડી ભુવો છેલ્લા ઘણા સમયથી લોકોની આસ્થા સાથે રમત રમીને આર્થિક શોષણ (Financial Exploitation) કરી રહ્યો હોવાની વિગતો સામે આવી છે.

