Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Ahmedabad: શહેરમાં પાણીજન્ય રોગચાળો, દૂષિત પાણી મામલે વિપક્ષનો હોબાળો

Ahmedabad: અમદાવાદમાં પાણીજન્ય એવા ઝાડા ઉલટી, કમળો, ટાઈફોઈડ અને કોલેરાના કેસ વધી રહ્યા છે. ઇન્દોર શહેરની જેમ જળકાંડ સર્જાવાની દહેશત વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સતત મિટીંગના દોર શરૂ થઈ ગયા છે. જેમાં અમદાવાદમાં દૂષિત પાણી મામલે વિપક્ષનો હોબાળો થયો છે. જેમાં વિવિધ વિસ્તારોમાં આવતા દૂષિત પાણી મામલે હોબાળો થયો છે. વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણની આગેવાનીમાં પ્રદર્શન થયુ છે.
ahmedabad  શહેરમાં પાણીજન્ય રોગચાળો  દૂષિત પાણી મામલે વિપક્ષનો હોબાળો
Advertisement
  • Ahmedabad: કેટલા મકાન તોડવા પડશે એ અંગે સર્વે શરૂ કરવામાં આવ્યો
  • ટેસ્ટ પ્રક્રિયા બાદ નાગરિકોને પાણી સપ્લાય કરવામાં આવશે
  • પાણી અને ડ્રેનેજની લાઈન બદલવા અંદાજે રૂપિયા 300 કરોડનો ખર્ચ થશે

Ahmedabad: અમદાવાદમાં પાણીજન્ય એવા ઝાડા ઉલટી, કમળો, ટાઈફોઈડ અને કોલેરાના કેસ વધી રહ્યા છે. ઇન્દોર શહેરની જેમ જળકાંડ સર્જાવાની દહેશત વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સતત મિટીંગના દોર શરૂ થઈ ગયા છે. જેમાં અમદાવાદમાં દૂષિત પાણી મામલે વિપક્ષનો હોબાળો થયો છે. જેમાં વિવિધ વિસ્તારોમાં આવતા દૂષિત પાણી મામલે હોબાળો થયો છે. વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણની આગેવાનીમાં પ્રદર્શન થયુ છે.

ટેસ્ટ પ્રક્રિયા બાદ નાગરિકોને પાણી સપ્લાય કરવામાં આવશે

મેયર પ્રતિભાબેન જૈનને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. તથા મેયર પ્રતિભાબેન જૈનએ જણાવ્યું છે કે શહેરમાં કોઈ પ્રકારની રોગચાળાની સ્થિતિ ઉદભવી નથી. જેમાં પ્રદૂષિત પાણીથી વકરેલા રોગચાળાને પગલે AMCનો નિર્ણય છે કે વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર ખાતે પાણીના વધારાના ટેસ્ટ કરાશે. ઇકોલાઈ બેક્ટેરિયા, ટર્બોડીટીના ટેસ્ટ કરવામાં આવશે. ટેસ્ટ પ્રક્રિયા બાદ નાગરિકોને પાણી સપ્લાય કરવામાં આવશે.

Advertisement

Ahmedabad: કેટલા મકાન તોડવા પડશે એ અંગે સર્વે શરૂ કરવામાં આવ્યો

અમદાવાદમાં પાણીજન્ય એવા ઝાડા ઉલટી, કમળો, ટાઈફોઈડ અને કોલેરાના કેસ વધી રહ્યા છે. ઇન્દોરની જેમ જળકાંડ સર્જાવાની દહેશત વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સતત મિટીંગના દોર શરૂ થઈ ગયા છે. રોગચાળા માટે 29 હોટસ્પોટ એરીયા જાહેર કરાયા છે. ગોમતીપુર, બહેરામપુરા અને દાણીલીમડા સહિતના અનેક એવા વિસ્તાર છે કે જ્યાં કોર્પોરેશનની પાણી કે ડ્રેનેજની લાઈન પસાર થાય છે તે વિસ્તારમાં લાઈન બદલવા મકાનો તોડવા પડે એવી સ્થિતિ સર્જાઈ છે. કેટલા મકાન તોડવા પડશે એ અંગે સર્વે શરૂ કરવામાં આવ્યો છે.

Advertisement

પાણી અને ડ્રેનેજની લાઈન બદલવા અંદાજે રૂપિયા 300 કરોડનો ખર્ચ થશે

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના કહેવા મુજબ, પાણી અને ડ્રેનેજની લાઈન બદલવા અંદાજે રૂપિયા 300 કરોડનો ખર્ચ થશે. ગોમતીપુર, બહેરામપુરા, દાણીલીમડા સહિતના વિસ્તારમાં કોર્પોરેશનની લાઈન ઉપર બની ગયેલા વર્ષો જૂના મકાનો તોડવાની ફરજ પડશે. શહેરમાં છેલ્લા કેટલાક સમયથી દૂષિત પાણીના કારણે ટાઈફોઈડ સહિતના રોગના કેસ વધ્યા છે. જેને કારણે કોર્પોરેશનના હેલ્થ અને ઈજનેર વિભાગ સહિતનો સ્ટાફ દોડતો થઈ ગયો છે. શહેરમાં રોગચાળાની પરિસ્થિતિ વકરે નહીં એ માટે મ્યુનિસિપલ હોદ્દેદારો પણ કામે લાગી ગયા છે.

આ પણ વાંચો: સોમનાથ સ્વાભિમાન પર્વ અને PM Modiના આગમનની જાણો કેવી છે તૈયારી

Tags :
Advertisement

.

×