Ahmedabad: AI ગાયોના ચહેરાને સ્કેન કરશે, પછી આ રીતે થશે માલિકની ઓળખ!
Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અમદાવાદમાં રખડતા પશુઓની સમસ્યાના ઉકેલ માટે AI મોડેલનો પાયલટ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. આ ટેક્નોલોજી ગાયના નાકની અનન્ય ડિઝાઇન (Nose Print) અને ચહેરાના સ્કેનિંગ દ્વારા રિયલ ટાઇમમાં પશુ માલિકની ઓળખ કરશે. 1.10 લાખ ગાયોના ડેટાબેઝ અને સીસીટીવીના સંકલનથી ટ્રાફિક સમસ્યા હલ કરી જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે.
Advertisement
- Ahmedabad: AI થી રખડતી ગાયોને શોધી તેના માલિકની ઓળખ કરાશે
- ફિંગરપ્રિન્ટની જેમ ગાયનું નાક છે તેનું યુનિક બાયોમેટ્રિક ID
- નાકની રચના, આંખો અને ચહેરાને સ્કેન કરતી ટેક્નોલોજી
Ahmedabad: ગુજરાતના શહેરોને સ્માર્ટ બનાવવા માટે રાજ્ય સરકાર આધુનિક ટેક્નોલોજી અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) ના ઉપયોગને પ્રાથમિકતા આપી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendrabhai Patel) ના નેતૃત્વમાં ગાંધીનગરમાં AI સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના કર્યા બાદ આ ટેક્નોલોજીને રાજ્યના શાસનમાં સમાવિષ્ટ કરીને નાગરિક સેવા વિતરણને સમૃદ્ધ બનાવવના પ્રસાયો કરવામાં આવી રહ્યા છે. આ દિશામાં આગળ વધતા અમદાવાદ (Ahmedabad) મહાનગરપાલિકા વિસ્તારને આવરી લેતી સમસ્યા માટે એક મહત્વપૂર્ણ પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જેના લીધે આવનારા દિવસોમાં રખડતા પશુઓ (Stray Cattle) ના લીધે પેદા થતી સમસ્યાઓનું સમાધાન લાવવામાં વધુ સરળતા રહેશે.

