Air India Plane crash incident : PM મોદી આજે આવશે અમદાવાદ, સિવિલમાં ઈજાગ્રસ્તોને મળશે
એવી આશંકા છે કે એક વ્યક્તિ સિવાય બાકીના બધાના આ અકસ્માતમાં મોત થયા છે. હવે અકસ્માત બાદ વડાપ્રધાન મોદી પણ અકસ્માત સ્થળની મુલાકાત લેશે. પ્રાપ્ત માહિતી અનુસાર, વડાપ્રધાન મોદી શુક્રવારે સવારે અમદાવાદ જશે.
Advertisement
- અમદાવાદ પ્લેન ક્રેશને લઈને મહત્વના સમાચાર
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આવશે અમદાવાદ
- સવારે 8 કલાકે PM મોદી અમદાવાદ પહોંચશે
- સિવિલમાં ઈજાગ્રસ્તોને મળશે વડાપ્રધાન મોદી
- ઘટનાસ્થળની મુલાકાત કરી શકે છે PM મોદી
Air India Plane crash incident : ગુરુવારે અમદાવાદમાં એક દુ:ખદ અકસ્માત થયો જેમાં કુલ 242 લોકો સવાર હતા, જેમાંથી ફક્ત એક જ વ્યક્તિ બચ્યો હોવાનું સામે આવી રહ્યું છે. જોકે, અકસ્માત સ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. એવી આશંકા છે કે એક વ્યક્તિ સિવાય બાકીના બધાના આ અકસ્માતમાં મોત થયા છે. હવે અકસ્માત બાદ વડાપ્રધાન મોદી પણ અકસ્માત સ્થળની મુલાકાત લેશે. પ્રાપ્ત માહિતી અનુસાર, વડાપ્રધાન મોદી શુક્રવારે સવારે અમદાવાદ જશે.

