ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

કોરનાનો એકવાર ફરી હાહાકાર, રસી લેવામાં હજુ પણ લોકો બેદરકાર..!!

કોરોનાએ ફરી એકવાર માથું ઉચક્યું છે. દેશમાં તેમજ રાજ્ય અને શહેરમાં સતત કેસમાં વધારો થઇ રહ્યો છે. જેની માટે કોર્પોરેશન તંત્ર સજ્જ છે. વેક્સિનેશન લેવા માટે લોકોને અપીલ કરવામાં આવી રહી છે. સાથે જ ટેસ્ટીંગમાં પણ વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોપડે વેક્સિનેશનના આંકડાની વાત કરીએ તો 46,72,118 લોકોએ જ હજુ સુધી વેક્સિન લીધી છે. એટલે કે 77% લોકોએ હજુ પણ વેક્સિન લીધી નથી. 36
09:00 AM Dec 23, 2022 IST | Vipul Pandya
કોરોનાએ ફરી એકવાર માથું ઉચક્યું છે. દેશમાં તેમજ રાજ્ય અને શહેરમાં સતત કેસમાં વધારો થઇ રહ્યો છે. જેની માટે કોર્પોરેશન તંત્ર સજ્જ છે. વેક્સિનેશન લેવા માટે લોકોને અપીલ કરવામાં આવી રહી છે. સાથે જ ટેસ્ટીંગમાં પણ વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોપડે વેક્સિનેશનના આંકડાની વાત કરીએ તો 46,72,118 લોકોએ જ હજુ સુધી વેક્સિન લીધી છે. એટલે કે 77% લોકોએ હજુ પણ વેક્સિન લીધી નથી. 36
કોરોનાએ ફરી એકવાર માથું ઉચક્યું છે. દેશમાં તેમજ રાજ્ય અને શહેરમાં સતત કેસમાં વધારો થઇ રહ્યો છે. જેની માટે કોર્પોરેશન તંત્ર સજ્જ છે. વેક્સિનેશન લેવા માટે લોકોને અપીલ કરવામાં આવી રહી છે. સાથે જ ટેસ્ટીંગમાં પણ વધારો કરવામાં આવ્યો છે. 
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોપડે વેક્સિનેશનના આંકડાની વાત કરીએ તો 46,72,118 લોકોએ જ હજુ સુધી વેક્સિન લીધી છે. એટલે કે 77% લોકોએ હજુ પણ વેક્સિન લીધી નથી. 36,30,794 લોકોએ હજુ પણ વેક્સિન લેવાનો કષ્ટ ઉઠાવ્યો નથી. શહેરમાં ભણેલો ગણેલો વર્ગ વધારે છે તેમ છતા પ્રથમ ડોઝ અને બીજો ડોઝ લેવામાં પણ લોકોએ ગંભીર બેદરકારી દાખવી રહ્યા છે. પ્રથમ ડોઝના આંકડાની વાત કરીએ તો 15-18 વર્ષના 2,67,955 લોકો પૈકી 2,27,399 લોકોએ જ રસી લીધી છે. 40,556 યુવાનોએ હજુ પણ રસી લેવામાં લાપરવાહી દાખવી રહ્યા છે. 12 થી 14 વર્ષના લોકોની ગણતરી કરીએ તો 1,90,000 લોકો પૈકી 1,49,269 લોકોએ રસી લીધી જેમાં 40,731 લોકોની રસી લેવાની બાકી છે.
જયારે બીજા ડોઝની વાત કરીએ તો 18 વર્ષથી ઉપરના લોકોમાં 4,43,074 લોકો હજુ પણ વેક્સિન લેવાની તસ્તી ઉઠાવી નથી. જેમાં 51,59,262 પૈકી 47,16,188 લોકોએ રસી લીધી છે. બાળકોની કેટેગરીમાં હજી પણ લોકો રસી લેવામાં જાગૃતિ દાખવતા નથી. બીજી તરફ પ્રિકોશન ડોઝ લેવામાં પણ લોકો ઉદાસીમતા દાખવી રહ્યા છે. 18 થી 60 વર્ષ 46,72,118 લોકોએ જ હજુ પ્રિકોશન ડોઝ લેવામાં જાગૃતતા દાખવી છે. એટલે 22% લોકોએ જ પ્રિકોશન ડોઝ લીધો છે. એટલે હજુ પણ 36 લાખથી પણ વધુ લોકોએ રસી લેવામાં રસ દાખવ્યો નથી.
ગુજરાત ફર્સ્ટ તમામ લોકોને અપીલ કરી રહ્યું છે કે, રસીએ એક માત્ર કોરોના સામેનું રામબાણ ઉપાય છે. જેથી પ્રિકોશન ડોઝ તેમજ વેક્સિનના તમામ ડોઝ જરૂરથી લેવા જોઈએ. અમદાવાદના તમામ અર્બન હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર પરથી રસી મેળવી શકાય છે, પરંતુ હજી પણ ઘણા લોકોએ રસી લીધી નથી.
આ પણ વાંચો - કોરાના સામે અમદાવાદ સિવિલ તંત્ર સજજ, તમામ ઓક્સિજન પ્લાન્ટોની કરાઈ ચકાસણી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
CarelessCoronaVirusCovid19GujaratFirstvaccine
Next Article