Green Gujarat Green Ahmedabad : વસ્ત્રાપુરની સોસાયટીમાં વૃક્ષારોપણ, છાયાદાર-ઔષધિય વૃક્ષો રોપાયા
વૃક્ષમાં પ્રકૃતિ અને માનવજાત માટેની આશાનું બીજ રોપાયું હોય તેવી ભાવના ધરાવતી સ્થાનિક મહિલાઓએ સજાગતાથી ભાગ લીધો હતો.
Advertisement
- ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ દ્વારા "Green Gujarat Green Ahmedabad" અભિયાન
- વસ્ત્રાપુરની સોસાયટીમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો, 10 વૃક્ષનું વાવેતર કરાયું
- ગોયલ પાર્ક રો-હાઉસ સોસાયટીની મહિલાઓ, બાળકો, રહીશો અભિયાનમાં જોડાયા
- રહીશો પાસે 'આ વૃક્ષોનું જતન કરવામાં આવશે' એવા શપથ લેવડાવાયા
અમદાવાદ શહેરમાં પર્યાવરણ સંરક્ષણ સુવિચાર સાથે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ (Gujarat First) દ્વારા "ગ્રીન ગુજરાત ગ્રીન અમદાવાદ" (Green Gujarat Green Ahmedabad) અભિયાન અંતર્ગત એક મહત્ત્વપૂર્ણ પગલુ લેવાયું. શહેરની પ્રતિષ્ઠિત ગોયલ પાર્ક રો-હાઉસ સોસાયટી ખાતે એક વિશિષ્ટ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બહેનો, યુવાનો અને બાળકોએ સામૂહિક રીતે 10 થી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું.

