Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

ગુજરાત હાઈકોર્ટે Narayan Sai ને આપ્યો જોરદાર ઝટકો, સજા મોકૂફીની અરજી ફગાવતા કોર્ટે કરી આકરી ટિપ્પણી

ગુજરાત હાઈકોર્ટે (Narayan Sai Bail News) દુષ્કર્મ કેસમાં સજા ભોગવી રહેલા નારાયણ સાઈની સજા મોકૂફીની અરજી ફગાવી દીધી છે. અદાલતે કડક અવલોકન કર્યું કે સાઈ પોતે જ સુનાવણીમાં સહકાર આપવાને બદલે વિલંબ કરવાની રણનીતિ અપનાવી રહ્યા છે. 2019 થી જેલમાં બંધ સાઈની મુશ્કેલી વધતા હવે 12 જૂને આગામી સુનાવણી થશે. સાથે જ પત્નીએ પણ છૂટાછેડા અને ભરણપોષણ માટે મોરચો માંડ્યો છે.
ગુજરાત હાઈકોર્ટે narayan sai ને આપ્યો જોરદાર ઝટકો  સજા મોકૂફીની અરજી ફગાવતા કોર્ટે કરી આકરી ટિપ્પણી
Advertisement
  • નારાયણ સાઈને હાઈકોર્ટે ફટકારી, જામીન અરજી થઈ ફગાવવામાં આવી!
  • દુષ્કર્મ કેસમાં સજા મોકૂફ રાખવાની નારાયણ સાઈની માંગ નામંજૂર
  • કોર્ટે કહ્યું- "સાઈ પોતે જ સુનાવણીમાં વિલંબ કરી રહ્યા છે"
  • 2019 થી અંતિમ સુનાવણીમાં સહકાર ન આપવાનો કોર્ટનો આરોપ
  • સુરત જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે સાઈ
  • 12 જૂન પર મુકાઈ આગામી સુનાવણી, પત્નીએ પણ માંગ્યા છે 5 કરોડ

સ્વયંભૂ ધર્મગુરુ આસારામના પુત્ર નારાયણ સાઈની (Narayan Sai Bail News) મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. સોમવારે ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) નારાયણ સાઈની તે અરજીને ફગાવી દીધી છે, જેમાં તેણે દુષ્કર્મ કેસમાં મળેલી આજીવન કેદની સજાને મોકૂફ રાખવાની માંગ કરી હતી. અદાલતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે સાઈ પોતે જ સુનાવણી ઝડપથી થાય તેમાં રસ ધરાવતા નથી.

Ahmedabad-Gujarat High Court-StrayDogs-GujaratFirst

Advertisement

વિલંબ કરવાની રણનીતિ પર કોર્ટની ફટકાર

જસ્ટિસ ઈલેશ જે. વોરા અને આર.ટી. વચ્છાણીની ખંડપીઠે અવલોકન કર્યું હતું કે, 2019 થી અત્યાર સુધી નારાયણ સાઈ દ્વારા અપીલની અંતિમ સુનાવણીમાં સહકાર આપવામાં આવ્યો નથી. તેના બદલે, તેઓ વારંવાર વચગાળાના જામીન (Interim Bail) માટે અરજીઓ દાખલ કરીને વિલંબ કરવાની રણનીતિ અપનાવી રહ્યા છે. કોર્ટે નોંધ્યું કે ૨૦૨૧ માં અપીલની અંતિમ સુનાવણી નક્કી કરાઈ હતી, પરંતુ સાઈ ક્યારેય તેના માટે તૈયાર થયા નહોતા.

Advertisement

સુરત જેલમાં બંધ છે નારાયણ સાઈ

વર્ષ ૨૦૧૩ માં સુરતની બે બહેનોએ આસારામ અને નારાયણ સાઈ વિરુદ્ધ દુષ્કર્મ અને ગેરકાયદેસર અટકાયતના આરોપો લગાવ્યા હતા. ત્યારબાદ ૨૦૧૯ માં સુરતની કોર્ટે સાઈને આજીવન કેદની (Life Imprisonment) સજા ફટકારી હતી. સાઈએ પોતાની અરજીમાં ૧૧ વર્ષથી જેલમાં હોવાનો અને સુનાવણીમાં વિલંબનો તર્ક આપ્યો હતો, પરંતુ હાઈકોર્ટે આ વિલંબ માટે સાઈને જ જવાબદાર ઠેરવ્યા છે. હવે આ કેસની આગામી સુનાવણી ૧૨ જૂન પર રાખવામાં આવી છે.

Narayan Sai

પત્નીએ પણ માંડ્યો છે મોરચો

નારાયણ સાઈના અંગત જીવનમાં પણ વિવાદો ઓછા નથી. તેમની પત્ની જાનકી હરપલાનીએ પણ છૂટાછેડા (Divorce) માટે કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. ઈન્દોરની રહેવાસી જાનકીએ માનસિક ત્રાસના ગંભીર આક્ષેપો સાથે ૫ કરોડ રૂપિયાના ભરણપોષણની માંગ કરી છે. અગાઉ ૨૦૧૮ માં ફેમિલી કોર્ટે સાઈને દર મહિને 50 હજાર રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો, પરંતુ જાનકીનો આરોપ છે કે છેલ્લા આઠ વર્ષમાં તેમને એક પણ રૂપિયો મળ્યો નથી.

આ પણ વાંચો : West Bengalમાં હવે કોનો થશે રાજ્યાભિષેક! મુખ્યમંત્રી પદની રેસમાં આ 5 નામ સૌથી મોખરે

Tags :
Advertisement

.

×