ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

INDvsENG: આજે મોદી સ્ટેડિયમમાં મેચના પગલે અમદાવાદના આટલા રસ્તાઓ રહેશે બંધ

આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ODI મેચના પગલે મોદી સ્ટેડિયમથી મોટેરા ગામ સુધીના રસ્તા પર સવારે 9 વાગ્યાથી રાત્રે મેચ પૂર્ણ થાય ત્યાં સુધી વાહનોની અવર જવર પર સંપુર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
10:38 AM Feb 12, 2025 IST | KRUTARTH JOSHI
આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ODI મેચના પગલે મોદી સ્ટેડિયમથી મોટેરા ગામ સુધીના રસ્તા પર સવારે 9 વાગ્યાથી રાત્રે મેચ પૂર્ણ થાય ત્યાં સુધી વાહનોની અવર જવર પર સંપુર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
Ahmedabad ODI

અમદાવાદ : આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ODI મેચના પગલે મોદી સ્ટેડિયમથી મોટેરા ગામ સુધીના રસ્તા પર સવારે 9 વાગ્યાથી રાત્રે મેચ પૂર્ણ થાય ત્યાં સુધી વાહનોની અવર જવર પર સંપુર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ ઉપરાંત એએમટીએસની વધારાની 104 બસ અને મેટ્રોની સેવાની ફ્રિકવન્સીમાં વધારો કરી દેવાયો છે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ODI સીરીઝ રમાઇ રહી છે, જેની ત્રીજી મેચ આજે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. દરમિયાન આજે લોકોએ ટ્રાફિકમાં ન ફસાવું પડે, તે માટે આજે એએમટીએસની વધારાની 104 બસો દોડાવવામાં આવશે. જેમાં 13 રૂટની 79 બસો અને 5 રૂટની 25 બસો દોડાવવામાં આવશે. કૂલ 18 રૂટ પર વધારાની 104 બસો આજે દોડાવાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આજે મેચના કારણે સ્ટેડિયમ તરફ જવાનો રસ્તો પણ બંધ રખાયો છે.

ભારત ઇંગ્લેન્ડ વચ્ચે મેચના પગે જનપથથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી મોટેરા ગામ સુધીના રોડ પર સવારે 9 વાગ્યાથી જ મેચ પૂર્ણ ન થાય ત્યાં સુધી વાહનોની અવર જવર પર સંપુર્ણ પ્રતિબંધ રહેશે. આ રસ્તો બંધ રહેવાને કારણે વાહન ચાલકો તપોવન સર્કલથી ઓએનજીસી ચાર રસ્તાથી વિસતથી જનપથ થઇને અવર જવર કરી શકશે. આ ઉપરાંક કૃપા રેસિડેન્સિથી શરણ સ્ટેટ ચાર રસ્તા થઇને કોટેશ્વર રોડ પર થઇને એપોલો સર્કલ તરફ જઇ શકશો.

અમદાવાદમાં મેટ્રો પણ દર વખતે મેચ સમયે મોડે સુધી ચાલુ રાખવામાં આવશે. રાત્રે 12 વાગ્યા સુધી મેચ પૂર્ણ ન થાય ત્યાં સુધી મેટ્રો ટ્રેન ચાલુ રહેશે. રાત્રે 12 વાગ્યા સુધી મોટેરાથી એપીએમસી અને થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ સુધીનો મેટ્રો રૂટ ચાલુ રહેશે.

Tags :
Ahmedabad NewsGujaratGUJARAT FIRST NEWSGujarati Newsind vs eng 3rd odiIndia vs England One day matchINDvsENG 3rd ODIModi stadiumNarendra Modi Stadium
Next Article