ગુજરાત અને કેરળમાં અતિવૃષ્ટિને લીધે અવસાન પામેલા લોકોના પરિવારજનોને મોરારીબાપુએ અર્પણ કરી સહાય
દેશના અલગ-અલગ રાજ્યોમાં કુદરતી આપત્તિ અને ભારે વરસાદના કારણે સર્જાયેલી તારાજી વચ્ચે એક પ્રેરણાદાયી સેવાકીય પહેલ સામે આવી છે. આધ્યાત્મિક સંત દ્વારા આપત્તિમાં સપડાયેલા પરિવારોને સાંત્વના પાઠવવા માટે વિશેષ આર્થિક સહાય મોકલવામાં આવી છે. શોકગ્રસ્ત પરિવારજનોને મદદરૂપ બનવા માટે લેવાયેલા આ સંવેદનશીલ પગલાની વિગતો જાણીને સૌ કોઈ પ્રભાવિત થયા છે
Advertisement
Morari Bapu Flood Relief Gujarat Kerala: છેલ્લા કેટલાક સમયથી દેશનાં વિવિધ રાજ્યોમાં અતિવૃષ્ટિ (Heavy Rain Disaster) અને કુદરતી આફતોના કારણે ભારે તારાજી સર્જાઈ રહી છે. અગાઉ પૂજ્ય મોરારિબાપુ (Morari Bapu) દ્વારા આસામ, જમ્મુ-કાશ્મીર અને સિક્કીમમાં ભારે વરસાદના પગલે સર્જાયેલી કુદરતી આપત્તિમાં મૃત્યુ પામેલા નાગરિકોના પરિવારજનોને સહાયતા રાશિ અર્પણ કરવામાં આવી હતી. આ સેવાયજ્ઞને આગળ વધારતા તાજેતરમાં ગુજરાત અને કેરળમાં પણ ભારે વરસાદ અને પૂરની સ્થિતિને કારણે સર્જાયેલી દુર્ઘટનાઓમાં સહાયનો હાથ લંબાવવામાં આવ્યો છે.

