Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad Anandnagar Murder Case: પારિવારિક માથાકૂટમાં ખેલાયો ખૂની ખેલ, 22 સેકન્ડમાં 36 ફટકા મારી વ્યક્તિને પતાવી દીધો

Ahmedabad Anandnagar Murder Case: અમદાવાદ શહેરના આનંદનગર પોલીસ સ્ટેશનની હદમાં આવતા રાજીવનગર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી એક સનસનાટીભર્યા હત્યાની ઘટના સામે આવી છે. અહીં માથાભારે તત્વોએ બેફામ બનીને નટુ પરમાર નામના વ્યક્તિ પર પાઇપ અને લાકડીઓ વડે જીવલેણ હુમલો કરી તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી છે.
ahmedabad anandnagar murder case  પારિવારિક માથાકૂટમાં ખેલાયો ખૂની ખેલ  22 સેકન્ડમાં 36 ફટકા મારી વ્યક્તિને પતાવી દીધો
Advertisement
  • Ahmedabad  નાં આનંદનગરમાં શખ્સની હત્યા
  • રાજીવનગરમા પાઈપ મારી ક્રૂરતાપૂર્વક હત્યા
  • પાઈપ અને લાકડીના ઘા મારી હત્યા કરાઈ
  • નટુ પરમાર નામના વ્યક્તિની ક્રૂરતાપૂર્વક હત્યા
  • હુમલાની ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે
  • આનંદનગર પોલીસે હત્યા મામલે તપાસ શરૂ કરી

Ahmedabad Anandnagar Murder Case: અમદાવાદ શહેરના આનંદનગર પોલીસ સ્ટેશનની હદમાં આવતા રાજીવનગર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી એક સનસનાટીભર્યા હત્યાની ઘટના સામે આવી છે. અહીં માથાભારે તત્વોએ બેફામ બનીને નટુ પરમાર નામના વ્યક્તિ પર પાઇપ અને લાકડીઓ વડે જીવલેણ હુમલો કરી તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી છે. આ સમગ્ર હુમલાની ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં હુમલાખોરોની બર્બરતા સ્પષ્ટ દેખાય છે.

Ahmedabad Anandnagar Murder Case-Gujarat first

Advertisement

 Ahmedabad ના આનંદનગરમાં વ્યક્તિની પાઇપ મારી હત્યા

ઘટનાની વિગત મુજબ, આ હત્યા પાછળ પારિવારિક માથાકૂટ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. મૃતકના પુત્રના લગ્ન ચાર વર્ષ પહેલા માલવિકા નામની યુવતી સાથે થયા હતા, પરંતુ લગ્ન બાદ પુત્રવધૂ રિસામણે પિયર ગઈ હોવાથી બંને પક્ષો વચ્ચે સતત તકરાર ચાલતી હતી.

Advertisement

પરિવારજનોએ કર્યો આક્ષેપ

આ બાબતે ગત 27 એપ્રિલે એક ટોળાએ મૃતકના ઘરે આવીને ધમકી પણ આપી હતી, જે અંગે પોલીસ કાર્યવાહી ન થઈ હોવાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો છે. ગઈકાલે જ્યારે નટુ પરમાર પાન પાર્લર પર સિગરેટ પીવા ગયા હતા, ત્યારે ઓચિંતા આવેલા હુમલાખોરોએ તેમના પર તૂટી પડી મોતને ઘાટ ઉતાર્યા હતા.

Ahmedabad Anandnagar Murder Case-Gujarat first

પોલીસે CCTVના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

આનંદનગર પોલીસ સ્ટેશનના PI આર.એસ. પરમાર અને તેમની ટીમે ઘટનાસ્થળે પહોંચી CCTV ફૂટેજના આધારે આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે. મૃતકની પત્ની ગીતાબેને આ મામલે ન્યાયની માંગણી કરી છે.

આ પણ વાંચો: Jamnagar માં ફરી ચાલ્યું દાદાનું બુલડોઝર, હાપામાં આવાસની જગ્યાએથી દબાણ સાફ!

Tags :
Advertisement

.

×