Ahmedabad: પતિની આત્મહત્યા અને પત્નીની હત્યા મામલે થયો મોટો ખુલાસો
- Ahmedabad: શક્તિસિંહ ગોહિલના ભત્રીજાના હાલમાં જ લગ્ન થયાં હતા
- જજીસ બંગલો રોડ પર મોડી રાતે ગોળીબારની ઘટના બની
- પતિ દ્વારા ફાયરિંગ થતા પત્નીનું મૃત્યુ અને ત્યારબાદ પોતે સુસાઇડ કર્યું
Ahmedabad: અમદાવાદના જજીસ બંગલો રોડ પર આવેલા NRI ટાવરમાં મોડી રાતે ગોળીબારની ઘટના બની છે. જેમાં પતિએ ફયરિંગ કરતા પત્નીને ગોળી વાગતા મૃત્યુ થયુ હતુ. ત્યારબાદ પતિએ પોતે જ માથે ગોળી મારી આત્મહત્યા કરી હતી. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું છે કે ખુબજ દુઃખદ અને પરિવાર ઉપર આભ તૂટી પડે તેવી ઘટના બની છે.
કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન સામે આવ્યુ
કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન સામે આવ્યુ છે. જેમાં કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ઘટના વિશે જણાવ્યું છે કે ખુબજ દુઃખદ અને પરિવાર ઉપર આભ તૂટી પડે તેવી ઘટના બની છે. શક્તિસિંહ ગોહિલના ભત્રીજાના હાલમાં જ લગ્ન થયાં હતા. પોતે મેરીટાઈમ બોર્ડમાં નોકરી કરતા હતા તથા પોતે રિવોલ્વર રાખતા હતા. જેમાં રિવોલ્વર ફેરવતા વખતે પત્નીના ગળામાં ગોળી વાગી હતી. તેથી ઘટના બનતા તરત તેમણે 108 ને કોલ કર્યો હતો. 108 ની ટિમ આવી પત્નીના મોતના સમાચાર આપ્યા હતા. જેમાં પત્નીના મોતનો આઘાત લાગતા તેમણે પોતે પણ ગોળી મારી લીધી હતી. તેમજ બંને પતિ-પત્ની વિદેશ પણ ફરવા જવાના હતા.
શક્તિસિંહના ભત્રીજાએ પત્નીને ગોળી મારી આપઘાત કર્યાનો મામલો
કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન
"રિવોલ્વર ફેરવતી વખતે પત્નીના ગળામાં ગોળી વાગી"
"ઘટના બનતા તેમણે તરત 108ને ફોન કર્યો હતો"
"પત્નીના મોતનો આઘાત લાગતા પોતે આપઘાત કર્યો"
"ખુબજ દુઃખદ અને પરિવાર ઉપર આભ તૂટી પડે તેવી… pic.twitter.com/NDUY78mlcX— Gujarat First (@GujaratFirst) January 22, 2026
Ahmedabad: NRI ટાવરના ગેટ બંધ કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો
ઘટનાને પગલે NRI ટાવરના ગેટ બંધ કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. તેમજ ફ્લેટમાં રહેતા લોકો સિવાય કોઈપણ વ્યક્તિને અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. મૃતક યુવક કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજા છે. ઉલ્લેખનીય છે કે, મૃતક ગુજરાત મેરિટાઇમ બોર્ડમાં અધિકારી તરીકે ફરજ બજાવતા હતા.
મૃતકોના નામ યશરાજ ગોહિલ અને રાજેશ્વરી ગોહિલ
મૃતકોના નામ યશરાજ ગોહિલ અને રાજેશ્વરી ગોહિલ છે. બંનેના માત્ર બે મહિના અગાઉ જ લગ્ન થયા હતા. પતિના હાથે હથિયાર વડે ફાયરિંગ થયુ હતુ. જેમાં 108 એમ્બ્યુલન્સ પહોંચતા પત્નીને મૃત જાહેર કરવામાં આવી છે. ત્યારબાદ પતિએ પણ આત્મહત્યા કરી લીધી છે. જેમાં વસ્ત્રાપુર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
વસ્ત્રાપુર પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે
ઘટના બનતા સ્થાનિકો ભેગા થયા હતા. તેમજ સ્થાનિકોએ પોલીસને જાણ કરતા ઝોન 1 ડીસીપી, ક્રાઈમ બ્રાન્ચની ટીમ સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. સમગ્ર બનાવમાં દંપતીનું મોત થયું છે. પોલીસે બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. વસ્ત્રાપુર પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે.
તાત્કાલિક 5 મિનિટમાં એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી
108 ઈમરજન્સી સેવાના જણાવ્યા મુજબ રાતે 11.45 વાગ્યા આસપાસ 108માં કોલ મળ્યો હતો. જેથી તાત્કાલિક 5 મિનિટમાં એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતક પતિએ ભૂલથી ગોળી વાગી છે એવો કોલ 108માં કર્યો હતો. જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે મહિલાને તપાસતા તેઓ મૃત હતા. જેથી પેરામેડિકલ સ્ટાફ બહાર ડોક્ટર સાથે ફોન પર વાત કરતા હતા, ત્યારે પતિએ પોતાને પણ ગોળી મારી દીધી હતી. જેથી 108 સ્ટાફ દ્વારા પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.
આ પણ વાંચો: Ahmedabad: BGMI ગેમ રમવાની બબાલ બની યુવાન માટે ઘાતક


