Pravinbhai Kotak : ઇસ્કોન ગ્રૂપનાં ચેરમેન પ્રવીણભાઇ કોટકે અનોખી રીતે ઊજવ્યો જન્મદિવસ!
- ઇસ્કોન ગ્રૂપનાં ચેરમેન Pravinbhai Kotak એ અનોખી રીતે ઊજવ્યો જન્મદિવસ
- શ્રમજીવીઓ સાથે કેક કાપીને કરી જન્મદિવસની ઉજવણી
- અમદાવાદમાં જલારામ અન્નક્ષેત્ર ખાતે જન્મદિવસ ઊજવ્યો
- પ્રવીણભાઇએ પોતાના હાથે શ્રમજીવીઓને ભોજન પીરસ્યું
- પ્રવીણભાઇ કોટકના પરિવારના સભ્યો પણ રહ્યા હાજર
Ahmedabad : ઇસ્કોન ગ્રૂપનાં (ISKCON Group) ચેરમેન પ્રવીણભાઇ કોટકે તેમના 63 માં જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી છે. પ્રવીણભાઇ કોટકે (Pravinbhai Kotak) ભગવાનની પૂજા કર્યા બાદ શ્રમજીવીઓ સાથે કેક કટિંગ કરીને તેમના જન્મદિવસની ઉજવણી કરી હતી. આ પ્રસંગે પ્રવીણભાઇ કોટકના પરિવારના સભ્યો પણ હાજર રહ્યા હતા અને શ્રમજીવીઓને પોતાના હાથે ભોજન પણ પીરસ્યું હતું. ત્યાર બાદ તેમની સાથે નૃત્ય પણ કર્યું હતું. ઇસ્કોન આંબલી રોડ (ISKCON Ambli Road) પર આવેલ જલારામ અન્નક્ષેત્ર ખાતે મિષ્ટાન સાથે ભોજન કરાવીને પ્રવીણભાઇ કોટકે પોતાનો જન્મદિવસ ઊજવ્યો હતો.
આ પણ વાંચો - Chhota Udepur : આદિજાતિ ખેડૂતો માટે સરકારની મોટી ભેટ, ખેડૂતોમાં ખુશીનો માહોલ!
ઇસ્કોન ગ્રૂપનાં ચેરમેન Pravinbhai Kotak એ શ્રમજીવીઓની સાથે કેક કાપી
ઇસ્કોન ગ્રૂપનાં ચેરમેન પ્રવીણભાઇ કોટકે (Pravinbhai Kotak) અમદાવાદમાં આવેલા જલારામ અન્નક્ષેત્ર (Jalaram Annakshetra) ખાતે શ્રમજીવીઓ સાથે કેક કટિંગ કરીને પોતાના 63 માં જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. આ પ્રસંગે પ્રવીણભાઇ કોટકના પરિવારના સભ્યો પણ હાજર રહ્યા હતા. પ્રવીણભાઇ અને પરિવારનાં સભ્યોએ પોતાના હાથે શ્રમજીવીઓને ભોજન પીરસ્યું હતું. ઇસ્કોન આંબલી રોડ પર આવેલ જલારામ અન્નક્ષેત્ર ખાતે મિષ્ટાન સાથે ભોજન કરાવીને પ્રવીણભાઇ કોટકે જન્મદિવસ ઊજવ્યો હતો.
આ પણ વાંચો - AIના જમાનામાં સનાતન જ્ઞાનની સાચવણી : ગૌતમ અદાણીએ ઈન્ડોલોજી માટે ₹100 કરોડનું મેગા ફંડ જાહેર કર્યું
દાન કે ડોનેશન વગર વર્ષોથી ચલાવે છે જલારામ અન્નક્ષેત્ર
મહત્ત્વનું છે કે, પ્રવીણભાઇ કોટક છેલ્લા ઘણા વર્ષોથી ઇસ્કોન આંબલી રોડ પર આવેલું જલારામ અન્નક્ષેત્ર (Jalaram Annakshetra) ચલાવે છે. કોઈપણ પ્રકારનાં દાન કે ડોનેશન વગર તેઓ આ અન્નક્ષેત્ર ચલાવે છે, જેમાં મોટી સંખ્યામાં શ્રમજીવીઓ અહીં ભોજન લેવા માટે આવતા હોય છે. જન્મદિવસની ઉજવણી નિમિત્તે પ્રવીણભાઇ કોટક અને તેમના પરિવારના સભ્યોએ શ્રમજીવીઓ સાથે ડાન્સ પણ કર્યો હતો.
આ પણ વાંચો - Bhavangar : ખેડૂત પાટીદાર દંપતી પર હુમલા મામલે રોષ! પો. અધિકારી સહિત 200 થી વધુ લોકોએ પરિવારને આપી હૂંફ!


