ગુજરાતી રંગભૂમિના તેજસ્વી તારા Raju Barot ની અંતિમ વિદાય, નાટ્ય જગતમાં શોક
- Raju Barot ના પાર્થવ દેહને ઉત્તરાખંડથી અમદાવાદ લાવવામાં આવ્યા
- રંગમંચના મહાન કલાકાર રાજુભાઈ બારોટને શ્રદ્ધાંજલિ આપવામાં આવી
- થિયેટર પ્લે કરેલા રાજુ બારોટના ગીતો ગાઈને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી
Raju Barot:ગુજરાતી નાટ્ય જગત (Gujarati Theatre World) અને રંગમંચના ખ્યાતનામ રાજુભાઈ બારોટ (Raju Barot) નું નિધન થતા કલાજગતમાં ઊંડા શોકનું મોજું ફરી વળ્યું છે. ઉત્તરાખંડ (Uttarakhand) ના પ્રવાસે ગયેલા રાજુભાઈ બારોટનું 23 જાન્યુઆરી, 2026 ના રોજ હૃદય રોગ (Heart Disease) ના હુમલાથી નિધન થયું હતું, જેના બાદ આજે તેમના પાર્થિવ દેહને અમદાવાદ લાવવામાં આવ્યો હતો. અમદાવાદ સ્થિત તેમના નિવાસસ્થાને અને ત્યારબાદ ટાગોર હોલ ખાતે તેમને અંતિમ શ્રદ્ધાંજલિ (Final Tribute) અર્પવા માટે મોટી સંખ્યામાં કલાકારો અને ચાહકો ઉમટી પડ્યા હતા.
Raju Barot: ગીતો ગાઈને તેમને શ્રદ્ધાંજલિ અપાઈ
રાજુભાઈ બારોટ માત્ર એક અભિનેતા જ નહીં, પરંતુ એક કુશળ દિગ્દર્શક અને માર્ગદર્શક (Mentor) પણ હતા. તેમની અંતિમ વિદાય સામાન્ય શોકસભા જેવી નહીં, પરંતુ તેમની કલાને અનુરૂપ અત્યંત ભાવુક અને અનોખી હતી. સામાન્ય રીતે મૃત્યુના પ્રસંગે ગંભીરતા હોય છે, પરંતુ અહીં તેમના સાથી કલાકારોએ રાજુ બારોટ દ્વારા ભજવવામાં આવેલા નાટકોના (Theatre Plays) લોકપ્રિય ગીતો ગાઈને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
Raju Barot ના પાર્થવ દેહને ઉત્તરાખંડથી અમદાવાદ લાવવામાં આવ્યા
રંગમંચના મહાન કલાકાર રાજુ બારોટને શ્રદ્ધાંજલિ આપવામાં આવી
થિયેટર પ્લે કરેલા રાજુ બારોટના ગીતો ગાઈને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી
શ્રદ્ધાંજલિ આપવા માટે ભંગળ, ઢોલ અને મંજીરા વગાડવામાં આવ્યા
રંગભૂમિના ખ્યાતનામ કલાકાર રાજુ… pic.twitter.com/MJNW9CeRia— Gujarat First (@GujaratFirst) January 25, 2026
વાજિંત્રો વગાડાયા
શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં પરંપરાગત વાજિંત્રો (Traditional Instruments) જેવા કે ભંગળ, ઢોલ અને મંજીરા વગાડવામાં આવ્યા હતા. આ વાજિંત્રોના ગુંજારવ વચ્ચે કલાકારોએ નાચતા-ગાતા પોતાના ગુરુને વિદાય આપી હતી. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર રહેલા દરેક વ્યક્તિની આંખો ભીની થઈ ગઈ હતી. કલાકારોએ જણાવ્યું હતું કે રાજુ બારોટ હંમેશા જીવંતતામાં (Vivacity) માનતા હતા, તેથી જ તેમને ગીત-સંગીત સાથે વિદાય આપવી એ જ સાચી શ્રદ્ધાંજલિ છે.
અનેક નવા કલાકારોને પ્લેટફોર્મ પૂરું પાડ્યું!
ગુજરાતી રંગભૂમિના આ તેજસ્વી તારાના અવસાનથી માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતના કલા જગતમાં એક મોટી ખોટ (Great loss) પડી છે. સોશિયલ મીડિયા પર પણ તેમના પ્રશંસકોમાં (Fans) ભારે ઉદાસીનો માહોલ જોવા મળી રહ્યો છે. અનેક જાણીતા કલાકારોએ તેમને યાદ કરતા જણાવ્યું હતું કે રાજુ બારોટે અનેક નવા કલાકારોને પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું અને ગુજરાતી નાટકોને એક નવી ઊંચાઈ પર પહોંચાડ્યા હતા. તેમની અણધારી વિદાયથી ગુજરાતી નાટ્ય પરંપરાને ક્યારેય ન પુરાય તેવી ખોટ પડી છે, પરંતુ તેમની કલા અને તેમણે ભજવેલા પાત્રો હંમેશા લોકહૃદયમાં જીવંત રહેશે.
આ પણ વાંચોઃ Surat: કામરેજમાં પરણિતાએ પાંચમા માળેથી લગાવી છલાંગ, સમગ્ર ઘટના CCTVમાં કેદ


