Download Apps
Home » અમદાવાદ એરપોર્ટ પર હવે 4 એરોબ્રિજના બદલે નવા 15 એરોબ્રિજ બનશે

અમદાવાદ એરપોર્ટ પર હવે 4 એરોબ્રિજના બદલે નવા 15 એરોબ્રિજ બનશે

અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ ખાતે ખાનગીકરણ બાદ એરપોર્ટ ની કાયા પલટ થઇ રહી છે.  હાલમાં અમદાવાદ એરપોર્ટ પરથી રોજના 20 હજારથી વધુ મુસાફરો મુસાફરી કરે છે. મુસાફરોની સુવિધાને જોતાં હવે તંત્ર દ્વારા એરપોર્ટનું નવીનીકરણ કરવામાં આવશે. દેશના અન્ય એરપોર્ટની જેમ અમદાવાદ એરપોર્ટ પર પણ મુસાફરો સરળતાથી આવનજાવન કરી શકે તે માટે ફલોર મુજબ ઉપરની બાજુએ ડિપાર્ચર અને નીચેની બાજુએ એરાઇવલ એરિયા બનાવવામાં આવશે. હાલમાં અમદાવાદથી રોજની 150 ડોમેસ્ટિક ફ્લાઈટનું આવનજાવન થઇ રહ્યું છે. આગામી દિવસોમાં હજુ પણ ડોમેસ્ટિક મુસાફરોનો ઘસારોને જોતાં તંત્ર દ્વારા તે માટેની પૂર્વ તૈયારીઓ શરુ કરી દેવાઈ છે. મુસાફરોની સુવિધાને જોતા  ટૂંક સમયમાં  અમદાવાદ એરપોર્ટની કાયાપલટ કરી અત્યાધુનિક સુવિધાઓથી સુજ્જ કરવામાં આવશે. 
ટર્મિનલમાં ચેકઇન કાઉન્ટર વધારવામાં આવશે
એરપોર્ટને સુવિધાઓ થી સજ્જ કરવા માટે ચાર એરોબ્રિજના બદલે નવા 15 એરોબ્રિજ બનાવાશે. એરપોર્ટ પર આવનારી મેટ્રોને ટર્મિનલ સાથે કેવી રીતે લીન્ક કરવી તેનુ ખાસ ધ્યાન રાખી મુસાફરો માટે નવા ગેટનું પણ નિર્માણ થશે. આ નવા ફેરફારો સાથે ટર્મિનલ આગામી વર્ષ 2024-25 સુધી મુસાફરો માટે શરૂ કરી દેવાનું આયોજન છે. અત્યારે પીકઅવર્સમાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ઉપરાંત ટર્મિનલમાં ચેકઇન કાઉન્ટર વધારવા સહિત સિક્યોરિટી એરિયાનો અભાવ હોવાથી પીકઅવર્સમાં મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડે છે. સિક્યોરિટી એરિયામાં મેટલ ડિટેક્ટર ગેટ સહિત એક્સ-રે સ્ક્રીનીંગ પણ વઘારવામાં આવશે.

કેટલીક ડોમેસ્ટિક એરલાઇસ ઇન્ટરનેશનલ ટર્મિનલ પરથી ઓપરેટ થશે
ટર્મિનલમાં ખાસ કરીને સિક્યોરિટી ચેકઇનમાં લાગતી લાંબી લાઇનોને કારણે સ્પાઇસજેટ અને વિસ્તારાની ડોમેસ્ટિક એરલાઇનોને ઇન્ટરનેશનલ ટર્મિનલ પરથી ઓપરેટ કરવા નક્કી કરાયુ છે. જેથી ડોમેસ્ટિક ટર્મિનલ માં પ્રતિદિન 38 જેટલી ફલાઇટોનું ભારણ ઘટશે.
કિરાંગી પરીખ 
પુષ્કર કેમ પ્રસિદ્ધ છે? જાણો પુષ્કર શહેર વિશે…
પુષ્કર કેમ પ્રસિદ્ધ છે? જાણો પુષ્કર શહેર વિશે…
By Viral Joshi
અરબાઝ ખાનની ગરલફેન્ડનો લૂક જોઈ ચાહકોએ કહ્યું  બિકની છે કે ડ્રેસ
અરબાઝ ખાનની ગરલફેન્ડનો લૂક જોઈ ચાહકોએ કહ્યું બિકની છે કે ડ્રેસ
By Hiren Dave
એક ગ્લાસ દુધથી થાય છે આ 9 ફાયદા
એક ગ્લાસ દુધથી થાય છે આ 9 ફાયદા
By Viral Joshi
બોડીકોન ડ્રેસમાં ખૂબ જ હોટ લાગે છે સાક્ષી મલિક, જુઓ શાનદાર તસવીરો
બોડીકોન ડ્રેસમાં ખૂબ જ હોટ લાગે છે સાક્ષી મલિક, જુઓ શાનદાર તસવીરો
By Dhruv Parmar
દુધ ઉભરાઈને ઢોળાવું શુભ હોય છે કે અશુભ?
દુધ ઉભરાઈને ઢોળાવું શુભ હોય છે કે અશુભ?
By Viral Joshi
IPL  2023 ના  આ છે ટૉપ 5 સિક્સર કિંગ
IPL 2023 ના આ છે ટૉપ 5 સિક્સર કિંગ
By Hiren Dave
તમાકુથી થતી 10 જીવલેણ બિમારીઓ
તમાકુથી થતી 10 જીવલેણ બિમારીઓ
By Viral Joshi
ચા પીવાથી SKIN ડાર્ક થઇ જાય છે તે વાતમાં કેટલું તથ્ય ?
ચા પીવાથી SKIN ડાર્ક થઇ જાય છે તે વાતમાં કેટલું તથ્ય ?
By Vishal Dave
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

પુષ્કર કેમ પ્રસિદ્ધ છે? જાણો પુષ્કર શહેર વિશે… અરબાઝ ખાનની ગરલફેન્ડનો લૂક જોઈ ચાહકોએ કહ્યું બિકની છે કે ડ્રેસ એક ગ્લાસ દુધથી થાય છે આ 9 ફાયદા બોડીકોન ડ્રેસમાં ખૂબ જ હોટ લાગે છે સાક્ષી મલિક, જુઓ શાનદાર તસવીરો દુધ ઉભરાઈને ઢોળાવું શુભ હોય છે કે અશુભ? IPL 2023 ના આ છે ટૉપ 5 સિક્સર કિંગ તમાકુથી થતી 10 જીવલેણ બિમારીઓ ચા પીવાથી SKIN ડાર્ક થઇ જાય છે તે વાતમાં કેટલું તથ્ય ?