પ્રેમસંબંધ મુદ્દે માનસિક ત્રાસનો પરિવારનો આક્ષેપ
પરિવારના જણાવ્યા મુજબ, યુવતીના પ્રેમસંબંધને લઈને તેને માનસિક રીતે પરેશાન કરવામાં આવતી હતી. સંબંધ સમાપ્ત કરવા માટે કેટલાક લોકો દ્વારા દબાણ કરવામાં આવ્યું હોવાનો પણ પરિવારનો આક્ષેપ છે. ખાસ કરીને 29 અને 30 ઓગસ્ટ દરમિયાન યુવતી પર દબાણ કરવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે.
પરિવારનો આરોપ છે કે સંબંધનો અંત લાવવા માટે સંબંધિત લોકો યુવતીના ઘરે પણ આવ્યા હતા અને ધમકી આપી હતી. આ સમગ્ર મામલે મૃતક યુવતીના પિતાએ ત્રણ લોકો સામે સાણંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
સ્યુસાઇડ નોટ મળ્યાનો પોલીસનો દાવો
પોલીસ તપાસ દરમિયાન યુવતી પાસેથી સ્યુસાઇડ નોટ મળી હોવાની માહિતી સામે આવી છે. પરિવારના જણાવ્યા મુજબ, નોટમાં ત્રણ લોકોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને તેમના કારણે માનસિક ત્રાસ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. નોટમાં માતા-પિતાની માફી માગવા સાથે આરોપીઓ સામે કડક કાર્યવાહી થાય તેવી ઇચ્છા વ્યક્ત કરવામાં આવી હોવાનો પણ પરિવારનો દાવો છે.
ફરિયાદમાં ચિની ગોહેલ, બુધાભુવા અને પાયલ ગોહેલ સામે આક્ષેપ
ફરિયાદમાં ચિની ગોહેલ, બુધાભુવા અને પાયલ ગોહેલ સામે આક્ષેપ કરવામાં આવ્યા છે. જોકે, આ તમામ આક્ષેપોની સત્યતા પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.સાણંદ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપો, સ્યુસાઇડ નોટ તથા ઘટનાને લગતા અન્ય પુરાવાઓની તપાસ કરવામાં આવી રહી છે. આરોપો સાબિત થાય ત્યાં સુધી તમામ વ્યક્તિઓને કાયદાકીય રીતે આરોપી તરીકે જ જોવામાં આવશે.
આ પણ વાંચો: અમદાવાદના ફૂટપાથ દબાણો સામે હાઈકોર્ટમાં PIL: 'રાઈટ ટુ વોક' નાગરિકોનો અધિકાર