"IAS-IPS બન્યા પછી સ્વભાવ કડક ન કરતા..." જાણો હર્ષભાઈ સંઘવીએ નવા અધિકારીઓને શું આપી સલાહ?
Motivational Speech Harshbhai Sanghavi: ગુજરાતમાંથી UPSC ની કઠિન પરીક્ષા પાસ કરીને દેશ સેવામાં જોડાવા જઈ રહેલા 35 જેટલા નવયુવાન ઉમેદવારોને પ્રોત્સાહિત કરવા માટે SPIPA ખાતે ખાસ સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (Harsh Sanghavi) વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે તમામ સફળ ઉમેદવારોને સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે તેમણે ગુજરાતના યુવાનોને વૈશ્વિક સ્તરે તૈયાર કરવા બદલ સમગ્ર SPIPA ની ટીમને પણ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.
'ગુજરાતી એટલે માત્ર વેપારી નહીં': નાયબ મુખ્યમંત્રી
પોતાના સંબોધન દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જૂના દિવસોને યાદ કરતા જણાવ્યું હતું કે, વર્ષો પહેલા UPSC ની પરીક્ષામાં ગુજરાતમાંથી માંડ એકાદ ઉમેદવાર પાસ થતો હતો. તે સમયે એવી છાપ હતી કે ગુજરાતી એટલે માત્ર વેપારી પ્રજા (Business Community). પરંતુ આજે આ ૩૫ યુવાનોની સફળતાએ સાબિત કરી દીધું છે કે ગુજરાતના યુવાનો વહીવટી સેવાઓમાં પણ ડંકો વગાડી શકે છે.
નવા આઈએએસ-આઈપીએસ અધિકારીઓને મહત્વની ટકોર
હર્ષભાઈ સંઘવીએ દેશના થનારા ઉચ્ચ અધિકારીઓને ખૂબ જ માર્મિક અને સંવેદનશીલ અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે, IAS કે IPS બન્યા પછી સ્વભાવ કડક કે અહંકારી ન થવો જોઈએ. જે લોકો જમીન સાથે જોડાયેલા (Grounded) રહેશે, તેમને કરિયરમાં ક્યારેય વાંધો નહીં આવે. તેમણે આઈપીએસ (IPS) અધિકારીઓને ટકોર કરી હતી કે જો તેઓ પોતે પોલીસ સ્ટેશન (Police Station) માં બેસશે, તો જ સામાન્ય જનતાની સાચી સમસ્યાઓનો ખ્યાલ આવશે. લોકસેવક બન્યા પછી લોકોના દિલમાં તમારા પ્રત્યે જે પ્રેમ છે, તે ક્યારેય ઓછો ન થવો જોઈએ.
DyCM Harshbhai Sanghavi Advice to IAS IPS: Harshbhaiની નવા અધિકારીઓને શીખ: કપડાં ભલે કડક થાય, સ્વભાવ નહીં@sanghaviharsh #HarshSanghavi #IAS #IPS #IRS #CivilServants #Motivation #Humility #GujaratGovernment #BreakingNews #LocalNews #GujaratFirst
Harsh Sanghavi motivational speech… pic.twitter.com/ubm7YmzctK— Gujarat First (@GujaratFirst) June 1, 2026
માતા-પિતાના સન્માન અંગે આપી ભાવુક સલાહ
કાર્યક્રમના અંતમાં તેમણે કડક શબ્દોમાં વહીવટી અધિકારીઓને પોતાના પરિવારની ગરિમા જાળવવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, "આજે તમે જે સ્થાન પર પહોંચ્યા છો, તેના માટે તમે તમારા માતા-પિતાના આભારી છો. જો કોઈના માતા-પિતા ગરીબ હોય, તો અધિકારી બન્યા પછી તેમનાથી ક્યારેય શરમ અનુભવતા નહીં. જે વ્યક્તિ પોતાના માતા-પિતાનું સન્માન નથી કરી શકતો, તે સમાજ કે દેશનું શું ભલું કરવાનો?" તેમણે ઉમેર્યું કે જો તમે માતા-પિતાને ભૂલી જશો, તો જીવનમાં ક્યારેય સાચી સફળતા મેળવી શકશો નહીં.
આ પણ વાંચો: Chintan Shibir: પાસાની ફાઈલ અને 'સ્વચ્છતા' મુદ્દે હર્ષભાઇ સંઘવી લાલઘૂમ: કલેક્ટરોને આપી કડક ચેતવણી!


