Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

STUDIO ON WHEELS : મને ગુજરાત અને ગુજરાતી લોકો ખૂબ પસંદ છે : કથાકાર દેવી ચિત્રલેખાજી

ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત 'STUDIO ON WHEELS' માં વાત કરીશું એ પ.પૂ. દેવીની જેમને દુનિયા કથાકાર ચિત્રલેખાજી તરીકે ઓળખે છે. 4 વર્ષની ઉંમરમાં ગુરુ મળ્યા બાદ કેવી રીતે તેઓ આ મુકામ સુધી પહોંચ્યા? વ્રજથી દ્વારિકાનગરી સંદર્ભે તેઓ શું કહીં રહ્યાં છે? તે જાણવાનો પ્રયાસ ગુજરાત ફર્સ્ટ ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટે હાઈટેક સ્ટુડિયોમાં પોડકાસ્ટનાં માધ્યમથી કર્યો છે.
studio on wheels   મને ગુજરાત અને ગુજરાતી લોકો ખૂબ પસંદ છે   કથાકાર દેવી ચિત્રલેખાજી
Advertisement
  1. ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત STUDIO ON WHEELS માં વિશેષ સંવાદ
  2. પ.પૂ.દેવી ચિત્રલેખાજી સાથે ચેનલ હેડ ડૉક્ટર વિવેક કુમાર ભટ્ટનો ખાસ સંવાદ
  3. હાઈટેક સ્ટુડિયોમાં પોડકાસ્ટનાં માધ્યમથી વ્રજથી દ્વારિકાનગરી સંદર્ભે જાણવાનો કર્યો પ્રયાસ
  4. 'મને ગુજરાત અને ગુજરાતી લોકો ખૂબ પસંદ છે'

ગુજરાત ફર્સ્ટની (Gujarat first News) વિશેષ રજૂઆત 'STUDIO ON WHEELS' માં વાત કરીશું એ પ.પૂ. દેવીની જેમને દુનિયા કથાકાર ચિત્રલેખાજી (Devi Chitralekhaji) તરીકે ઓળખે છે. 4 વર્ષની ઉંમરમાં ગુરુ મળ્યા બાદ કેવી રીતે તેઓ આ મુકામ સુધી પહોંચ્યા છે ? વ્રજથી (Vraj Bhoomi) લઈ દ્વારિકાનગરી સંદર્ભે તેઓ શું કહીં રહ્યાં છે ? તે જાણવાનો પ્રયાસ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ હેડ ડૉક્ટર વિવેક કુમાર ભટ્ટે (Dr. Vivek Kumar Bhatt) હાઈટેક સ્ટુડિયોમાં પોડકાસ્ટનાં માધ્યમથી કર્યો છે.

STUDIO ON WHEELS, મને ગુજરાત અને ગુજરાતીઓ ખૂબ પસંદ છે : દેવી ચિત્રલેખાજી

ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત 'STUDIO ON WHEELS' હેઠળ હાઈટેક સ્ટુડિયોમાં પોડકાસ્ટનાં માધ્યમથી ચેનલ હેડ ડૉક્ટર વિવેક કુમાર ભટ્ટે કથાકાર પ.પૂ.દેવી ચિત્રલેખાજી સાથે વિશેષ સંવાદ કર્યો હતો. દરમિયાન, તેમણે ગુજરાત અને ગુજરાતીઓ અંગે વાત કરતા જણાવ્યું હતું કે,'તમે ખૂબ સુંદર પ્રયાસ કર્યો છે, મને ગુજરાત પસંદ છે. ગુજરાતી લોકો ખૂબ પસંદ છે.' આ સાથે કથાકાર પ.પૂ. દેવી ચિત્રલેખાજીએ (Devi Chitralekhaji) વ્રજ ભૂમિ અંગે વાત કરતા જણાવ્યું કે, 'કૃષ્ણથી જોડાયા તે વ્રજથી (Vraj) જોડાયા...વ્રજ કૃષ્ણ ભગવાનનું ઘર છે. વ્રજ એટલે પ્રેમની ભૂમિ. રાધા રાણી પ્રેમ કરૂણાનો સ્વરૂપ છે. દુનિયા રાધા-કૃષ્ણ તરીકે ઓળખે છે. ભગવાને 11 વર્ષ વ્રજમાં વિતાવ્યા હતા.'

Advertisement

Advertisement

આ પણ વાંચો -Gujarat First નો નવો અભિગમ ‘Studio on Wheels’, સંતોના આશીર્વાદ સાથે શુભારંભ

'દુનિયા ભજે કૃષ્ણ કો કૃષ્ણ ભજે રાધા કો...'

પ.પૂ.દેવી ચિત્રલેખાજીએ આગળ જણાવ્યું કે,'ચોરીથી લઈ મહારાસ વ્રજની ભૂમિમાં છે. ભગવાને નાની ઉંમરમાં મોટી લીલા વ્રજની ભૂમિમાં કરી. રાધા વગર કૃષ્ણની લીલા પણ અધૂરી છે. ભગવાન કૃષ્ણની શક્તિ રાધારાણી (Radha-Krishna) છે. દુનિયા ભજે કૃષ્ણ કો કૃષ્ણ ભજે રાધા કો...' તેમણે કહ્યું કે, 'કળિયુગમાં નામ જપની જ માળા શાશ્વત છે. નામ જાપથી જ ભગવાનના દર્શન થાય છે. વ્રજની રજનું પણ વિશેષ મહત્ત્વ છે.' પોતાનાં જીવન અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે,'વ્યવસ્થા નહીં આસ્થા મોટી વાત છે. નાની ઉંમરથી જ ધર્મ પ્રત્યે લગાવ હતો. પરિવાર પણ ભક્તિ ભાવ સાથે જોડાયેલો હતો. 4 વર્ષની ઉંમરમાં મને ગુરુ મળ્યા. ગુરુ એ મંત્ર આપ્યો તો ભજન તરફ વળ્યા. વ્રજમાં જન્મ થયો તો સંતોના આશીર્વાદ મળ્યા. સંતો સાથે સતત સપંર્કમાં રહેતા અને 7 વર્ષની ઉંમરમાં પ્રથમ કથા કરી હતી. હવે, ગાય માટે હોસ્પિટલ પણ શરૂ કરી છે. યંગ જનરેશન પણ મારી કથામાં આવે છે.'

આ પણ વાંચો -Gujarat First નો જનરથ મુદ્દાઓનો મહારથ ! STUDIO ON WHEELSનો CM અને DyCMના હસ્તે શુભારંભ

Tags :
Advertisement

.

×