આ વખતની રથયાત્રામાં શહેર પોલીસ ટીઝર ગન વડે હશે સજ્જ
અમદાવાદમાં આગામી દિવસોમાં ૧૪૫મી રથયાત્રા યોજાવવા જઈ રહી છે જેના ભાગ સ્વરૂપે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચ કે જેમના માથે ભગવાન જગન્નાથજીના રથની સંપૂર્ણ જવાબદારી રહેતી હોય છે.કોઈપણ અનિચ્છનીય બનાવ બને નહી તેના માટે થઈને શહેર પોલીસે બંદોબસ્તની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. આ વખતની રથયાત્રા ખુબ જ મહત્વની માનવામાં આવી રહી છે.તેની પાછળનું પણ એક કારણ છે કે કોરોના લીધે બે વર્ષથી રથà
Advertisement
અમદાવાદમાં આગામી દિવસોમાં ૧૪૫મી રથયાત્રા યોજાવવા જઈ રહી છે જેના ભાગ સ્વરૂપે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચ કે જેમના માથે ભગવાન જગન્નાથજીના રથની સંપૂર્ણ જવાબદારી રહેતી હોય છે.કોઈપણ અનિચ્છનીય બનાવ બને નહી તેના માટે થઈને શહેર પોલીસે બંદોબસ્તની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. આ વખતની રથયાત્રા ખુબ જ મહત્વની માનવામાં આવી રહી છે.તેની પાછળનું પણ એક કારણ છે કે કોરોના લીધે બે વર્ષથી રથયાત્રા ભક્તો વગર જ યોજાઈ હતી. બે વર્ષ બાદ ફરી એક વખત આ વખતે ભક્તો સાથે રથયાત્રા યોજાવાની છે. જેના લીધે શહેર પોલીસે પણ બંદોબસ્તની રૂપરેખામાં બદલાવ કર્યો છે.૧૪૫મી રથયાત્રામાં સૌ પ્રથમ વખત ટીઝર ગનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં કુલ ૨૦ જેટલી ટીઝર ગન જોડે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ રથયાત્રામાં સામેલ રહેશે.
ભગવાન જગ્નાનાથજીની ૧૪૫મી રથયાત્રા આ વખતે લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવશે.કારણકે ૨૦ જેટલી ટેઝર ગન વડે ક્રાઈમ બ્રાંચનો એક ખાસ સ્ક્વોડ રથયાત્રામાં તૈનાત રહેશે. સૌ પ્રથમ વખત રથયાત્રામાં ટીઝર ગનનો ઉપયોગ કરવામાં આવશે. ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ આ ગન વડે રથયાત્રામાં હાજર રહેશે. સામાન્ય રીતે આ ટીઝર ગનનો ઉપયોગ કોઈપણ આરોપીને દુરથી જ બેહોશ કરવા માટે ઉપયોગમાં કરાતો હોય છે.આ ટીઝર ગન વડે ફાયર કરવાથી એક વાયર નીકળતો હોય છે અને આ વાયરમાં રહેલો ઇલેક્ટ્રિક કરંટ સામે વ્યક્તિને લાગતો હોય છે. કરંટ લાગતાની સાથે જસામે વાળી વ્યક્તિ પાંચ થી દસ મિનીટ માટે બેહોશ થઇ જતી હોય છે જેથી કોઈપણ વ્યક્તિને ધરપકડ કરવી કે ન્યુટ્રલાઈઝ કરવો સરળ બનતો હોય છે.
આ રથયાત્રામાં કોઈપણ પ્રકારની ભૂલચૂક સાંખી લેવામાં આવતી હોતી નથી. થોડા દિવસો અગાઉ અલકાયદા દ્વારા એક લેટર સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો.જેમાં આત્મઘાતી હુમાલો કરવાની ચીમકી આપવામાં આવી હતી જેના પગલે પણ સમગ્ર દેશ એલર્ટ પર છે અને તેમાય ગુજરાત પોલીસ સૌથી વધુ એલર્ટ મોડ પર જોવા મળી રહી છે. બીજી તરફ રથયાત્રા આવી રહી છે જેમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ પણ એકઠી થતી હોય છે જેથી કરીને સુરક્ષા અને બંદોબસ્તમાં કોઈ ચૂક રહી નાં જાય તેના માટે થઈને સુરુક્ષા એજન્સીઓ અને ગુપ્તચર વિભાગ પણ સતર્ક થઇ ગયું છે. આ વખતની રથયાત્રામાં દરેક પાંચ થી દસ વ્હીકલ છોડીને કેમેરા લગાડવામાં આવશે જેનું સીધું મોનીટરીંગ મોનીટરીંગ બે થી ત્રણ જગ્યા પર રાખવામાં આવશે.શહેર પોલીસ કમિશનર કચેરી, ક્રાઈમ બ્રાંચ, અને તંબુ ચોકી ખાતે આ કેમેરાનું મોનીટરીંગ કરવામાં આવશે.
ક્રાઈમ બ્રાંચ દ્વારા રથયાત્રામાં સામેલ અખાડા અને અન્ય જે લોકો સામેલ થવાના છે તે તમમાં લોકો સાથે મીટીંગો કરી લેવામાં આવી છે.આ ઉપરાંત પોલીસ કર્મીઓના યુનિફોર્મ પર બોડીઓન કેમરા પણ ફીટ કરવામાં આવશે. જેનું લાઈવ સ્ટ્રીમીંગ અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે રાખવામાં આવ્યું છે. તદઉપરાંત રથયાત્રાના મુમેન્ટ આખી ખબર પડે તેના માટે તહીને GPS ટ્રેકર રથમાં લગાડવામાં આવશે. જેથી કરીને રથનો પરફેક્ટ રૂટ ખ્યાલ આવી શકે છે એટલે એકદંરે જોવા જઈએ તો આ વખતની ૧૪૫મી રથયાત્રા ટેકનોલોજી યુક્ત રથયાત્રા યોજાવવાની છે અને પોલીસ વિભાગે સુરક્ષાના તમામ તૈયારીઓ હાલ પૂર્ણ કરી દીધેલી જોવા મળી રહી છે.
Advertisement


