Ahmedabad : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ ગુજરાત પ્રવાસે, વિવિધ કાર્યક્રમમાં આપશે હાજરી
- Ahmedabad : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ ગુજરાતની મુલાકાતે
- અમિતભાઈ શાહ વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી
- થલતેજ ખાતે આવેલા ગુરુદ્વારામાં અમિતભાઈ શાહ કરશે દર્શન
- આઈકોનિક એસજી હાઈવેના પ્રથમ તબક્કાના પાઈલટ પ્રોજેક્ટનું કરશે લોકાર્પણ
Ahmedabad : કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ ફરી એક વખત ગુજરાતની મુલાકાતે છે. અમિતભાઈ શાહ ગુજરાતમાં આયોજીત વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાના છે. તેમજ કરોડોના વિકાસકાર્યોની ભેટ આપશે. શેલામાં IMA ગુજરાત બ્રાન્ચ દ્વારા આયોજિત રાષ્ટ્રીય કોન્ફરન્સમાં કાર્યક્રમમાં હાજર રહેવાનો છે. AMC દ્વારા નાંખવામાં આવેલી નવી ટ્રંક મેઈન લાઈનનું લોકાર્પણ કરશે. તેમજ (Ahmedabad )અમદાવાદના નવા વણઝરમાં અસરગ્રસ્ત પરિવારોને સનદ અર્પણ કાર્યક્રમમાં પણ હાજર રહેશે.
કરોડાના વિકાસ કાર્યોની આપશે ભેટ(Ahmedabad)
આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ અમદાવાદના (Ahmedabad )આઈકોનિક એસજી હાઈવેના પ્રથમ તબક્કાના પાઈલટ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. થલતેજ ખાતે આવેલા ગુરુદ્વારામાં અમિતભાઈ શાહ દર્શન કરશે.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી Amitbhai Shah આવશે ગુજરાત | Gujarat First
આવતીકાલે અમિતભાઈ શાહ એક દિવસના ગુજરાત પ્રવાસે
શેલામાં IMA ગુજરાત બ્રાન્ચ દ્વારા આયોજિત રાષ્ટ્રીય કોન્ફરન્સમાં કાર્યક્રમ
AMC દ્વારા નાંખવામાં આવેલી નવી ટ્રંક મેઈન લાઈનનું કરશે લોકાર્પણ
અમદાવાદના નવા વણઝરમાં… pic.twitter.com/zUvqwrouKP— Gujarat First (@GujaratFirst) December 27, 2025
આ ઉપરાંત અમિતભાઈ શાહ અમદાવાદ ખાતે વિશ્વ ઉમિયા ધામના યુવા બિઝનેસ મહાસંમેલનમાં હાજરી આપશે. વિશ્વ ઉમિયા ધામ ખાતે બિઝનેસ મહાસંમેલનની તડામર તૈયારી કરી છે. ગુજરાતભરમાંથી 20,000 યુવા બિઝનેસમેન સામેલ થશે. તેમજ અમેરિકા,કેનેડા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને દુબઈથી પાટીદાર બિઝનેસમેન પધારશે.તેમજ મુખ્યમંત્રી સહિત પાટીદાર મંત્રીઓ અને ધારાસભ્યો પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
અમદાવાદમાં વિવિધ કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત
- કાર્યક્રમ-1 : IMA ગુજરાત બ્રાન્ચ દ્વારા આયોજિત રાષ્ટ્રીય કોન્ફરન્સમાં આપશે હાજરી
- કાર્યક્રમ-2 : AMC દ્વારા નાંખવામાં આવેલી નવી ટ્રંક મેઈન લાઈનનું લોકાર્પણ કરશે.
- કાર્યક્રમ-3 : નવા વણઝરમાં અસરગ્રસ્ત પરિવારોને સનદ અર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે.
- કાર્યક્રમ-4 : આઈકોનિક એસજી હાઈવેના પ્રથમ તબક્કાના પાઈલટ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે.
- કાર્યક્રમ-5 : થલતેજ ખાતે આવેલા ગુરુદ્વારામાં અમિતભાઈ શાહ કરશે દર્શન
- કાર્યક્રમ-6 : વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે.
- કાર્યક્રમ-7 : અમદાવાદના ગોધાવીમાં સંસ્કારધામ ખાતે 'નમોત્સવ' કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
આ પણ વાંચો: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યા પર ભારતની કડક પ્રતિક્રિયા, 'હિંસા અવગણી શકાય નહીં'


