Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

21 જૂન પહેલા New Chandkheda માં યોગનો મહાકુંભ: એક મંચ, 800 સાધકો અને અનંત શાંતિ

Gujarat State Yoga Board: અમદાવાદના ન્યૂ ચાંદખેડાના સ્થિત ભગવતી પાર્ટી પ્લોટમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોચ ગીતા મકવાણા, ઇલાક્ષીબેન અને ઉમેશ ચૌહાણના માર્ગદર્શન હેઠળ વિશાળ યોગ શિબિર યોજાઈ. 21 જૂનના પ્રોટોકોલ મુજબ 800થી વધુ સાધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ યોગાભ્યાસ કર્યો હતો. આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક શાંતિ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો.
21 જૂન પહેલા new chandkheda માં યોગનો મહાકુંભ  એક મંચ  800 સાધકો અને અનંત શાંતિ
Advertisement
  • 21 જૂન પહેલા New Chandkheda માં યોગનો મહાકુંભ યોજાયો
  • 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' ના પૂર્વ તૈયારી રૂપે આ શિબિર યોજાઈ
  • 800 થી પણ વધુ સાધકોએ એકસાથે યોગ કર્યા

Yoga New Chandkheda: અમદાવાદના ન્યૂ ચાંદખેડા (New Chandkheda) વિસ્તારના ત્રાગડ (Tragad) ખાતે આવેલા ભગવતી પાર્ટી પ્લોટ (Bhagwati Party Plot)માં તાજેતરમાં એક વિશાળ યોગ શિબિર (Yoga Camp)નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આગામી 21 જૂન 2026ના રોજ ઉજવાનારા 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' (International Yoga Day) ના પૂર્વ તૈયારી રૂપે આ શિબિર યોજાઈ હતી. આ કાર્યક્રમમાં સરકાર દ્વારા નિર્ધારિત યોગ પ્રોટોકોલ (Yoga Protocol) મુજબ યોગાભ્યાસ કરાવાયો હતો, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓએ ભાગ લીધો હતો.

Advertisement

ભગવતી પાર્ટી પ્લોટ બન્યું યોગમય

આ શિબિરના મુખ્ય સૂત્રધાર તરીકે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ (Gujarat State Yoga Board) ના કોચ ગીતા મકવાણા (Gita Makwana) એ સેવા આપી હતી. તેમની સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોર્ડીનેટર ઇલાક્ષીબેન (Ilaxiben) અને કોચ ઉમેશ ચૌહાણ (Umesh Chauhan) પણ ઉપસ્થિત રહ્યા હતા. ગીતાબેન અને તેમની સમગ્ર ટીમ (Team) ના અથાક પરિશ્રમને પરિણામે આ આયોજન ખૂબ જ શિસ્તબદ્ધ અને પ્રભાવશાળી રહ્યું હતું. શિબિરમાં ઉપસ્થિત 800 થી પણ વધુ સાધકોએ એકસાથે યોગ કરી શારીરિક અને માનસિક શાંતિ તેમજ આનંદની અનુભૂતિ કરી હતી.

Advertisement

ગુજરાત રાજ્ય યોગ બોર્ડની ટીમ દ્વારા અદભૂત આયોજન

વહેલી સવારે શરૂ થયેલી આ શિબિરમાં પ્રાણાયામ (Pranayama), સૂર્ય નમસ્કાર (Surya Namaskar) અને વિવિધ આસનો (Asanas) દ્વારા શરીરને સ્વસ્થ રાખવાના મંત્રો આપવામાં આવ્યા હતા. કોચ દ્વારા દરેક આસનનું મહત્વ અને તેનાથી થતા ફાયદાઓ વિશે વિસ્તૃત સમજૂતી આપવામાં આવી હતી. ઇલાક્ષીબેન દ્વારા યોગને જીવનશૈલીનો ભાગ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ ભવ્ય શિબિરે સમગ્ર ન્યૂ ચાંદખેડા વિસ્તારમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવાનું કાર્ય કર્યું છે. અંતમાં, આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા બદલ અને શિબિરને સફળ બનાવવા બદલ તમામ સાધકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Health Tips: નવરાત્રિના ઉપવાસ બાદ પાચનતંત્રને કરો રિચાર્જ, ગેસ અને કબજિયાતથી મુક્તિ માટે કરો આ યોગાસનો

Tags :
Advertisement

.

×