દેશમાં છેલ્લા 24 કલાકમાં 2,288 લોકો થયા કોરોનાથી સંક્રમિત, 10 દર્દીઓના થયા મૃત્યુ
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19ના 2,288 નવા કેસ નોંધાયા છે. જો કે ગઈકાલની સરખામણીએ તે 28.6 ટકા ઓછો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 3044 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે અને 10 દર્દીઓના મૃત્યુ થયા છે.દેશમાં એક્ટિવ કેસ 20,000 કરતા ઓછા છે. હાલમાં કોરોનાના એક્ટિવ કેસ 19,637 છે. કોરોનાથી મૃત્યુઆંક 524,103 પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં 13,90,912 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ વેક્સિનેશન 1,90,50,86,706 પર પહો
04:19 AM May 10, 2022 IST
|
Vipul Pandya
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19ના 2,288 નવા કેસ નોંધાયા છે. જો કે ગઈકાલની સરખામણીએ તે 28.6 ટકા ઓછો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 3044 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે અને 10 દર્દીઓના મૃત્યુ થયા છે.
દેશમાં એક્ટિવ કેસ 20,000 કરતા ઓછા છે. હાલમાં કોરોનાના એક્ટિવ કેસ 19,637 છે. કોરોનાથી મૃત્યુઆંક 524,103 પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં 13,90,912 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ વેક્સિનેશન 1,90,50,86,706 પર પહોંચી ગયું છે.
ભારતમાં રિકવરી રેટ હાલમાં 98.74% છે. દૈનિક પોઝીટીવીટી રેટ 0.47% છે. વીકલી પોઝીટીવીટી રેટ 0.79% છે. છેલ્લા 24 કલાકમાં 4,84,843 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 84.15 કરોડ કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે.
Next Article