રાજ્યમાં કોરોનાના નવા 176 કેસનોંધાયા, અમદાવાદમાં 40, એક દર્દીનું મોત
ગુજરાતમાં (Gujarat) કોરોનાના (Corona) કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં આજે 15 સપ્ટેમ્બરના રોજ કોરોનાના નવા 176 કેસ નોંધાયા છે. જેમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1,232 થઈ છે. કોરોનાના રિકવરી રેટ 99.04 ટકા થયો છે. જ્યારે આજે કોરોનાથી 199 દર્દીઓ સાજા થયા છે.જ્યારે કોરોનાના નવા નોંધાયેલા કોરોનાના કેસની વાત કરીએ તો સુરતમાં 52, અમદાવાદમાં 40, બનાસકાંઠામાં 11, મહેસાણામાં 04, સાબરકાંઠામાં 01, વડોદરામાં 13, વલસાડમàª
04:37 PM Sep 15, 2022 IST
|
Vipul Pandya
ગુજરાતમાં (Gujarat) કોરોનાના (Corona) કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં આજે 15 સપ્ટેમ્બરના રોજ કોરોનાના નવા 176 કેસ નોંધાયા છે. જેમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1,232 થઈ છે. કોરોનાના રિકવરી રેટ 99.04 ટકા થયો છે. જ્યારે આજે કોરોનાથી 199 દર્દીઓ સાજા થયા છે.
જ્યારે કોરોનાના નવા નોંધાયેલા કોરોનાના કેસની વાત કરીએ તો સુરતમાં 52, અમદાવાદમાં 40, બનાસકાંઠામાં 11, મહેસાણામાં 04, સાબરકાંઠામાં 01, વડોદરામાં 13, વલસાડમાં 05, રાજકોટમાં 8, ભરુચમાં01, સુરત જિલ્લામાં03, ગાંધીનગરમાં 05, અમરેલીમાં 01, જામનગરમાં01, નવસારીમાં09, રાજકોટ જિલ્લામાં05, ગાંધીનગર જિલ્લામાં 06 , કચ્છમાં 2, તાપીમાં 01, વડોદરા જિલ્લામાં05, , ભાવનગરમાં 02, કેસ નોંધાયા છે.
ગુજરાતના અન્ય જિલ્લામાં આજે એક પણ કોરોના કેસ નોંધાયો નથી. જેના કારણે તંત્ર એ આજે રાહતનો શ્વાસ લીધો હતો. કોરોના મહામારીમાંથી ભારતને બહાર લાવવા માટે તંત્રના તમામ અધિકારીઓ અને કર્માચારીઓએ અગત્યનો ભાગ ભજવ્યો છે. આજે ગુજરાતમાં કોરોનાને કારણે 1 દર્દીનું મોત થયુ છે. આજે તાપીમાં એક દર્દીનું મોત થયું હતુ. એકટિવ કેસોમાં 4 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 1232 દર્દીઓની સ્થિતિ હાલ સ્ટેબલ છે.
Next Article