ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

દેશ પર ફરી તોળાતું કોરોનાનું સંકટ, કોરોનાના કેસમાં થઇ રહ્યો છે વધારો

દુનિયામાં ફરી એકવાર કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. તેના નવા વેરિઅન્ટ XEને ફેલાવવાનું જોખમ પણ વધી ગયું છે.  આરોગ્ય મંત્રાલય દ્વારા શનિવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના  1,150 નવા કેસ નોંધાયા છે. આ નવા કેસ શુક્રવાર કરતાં વધુ છે. શુક્રવારે કોરોનાના 1109 નવા કેસ સામે આવ્યા હતા. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણને કારણે 83 લોકોના મોત થયા છે. àª
04:39 AM Apr 09, 2022 IST | Vipul Pandya
દુનિયામાં ફરી એકવાર કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. તેના નવા વેરિઅન્ટ XEને ફેલાવવાનું જોખમ પણ વધી ગયું છે.  આરોગ્ય મંત્રાલય દ્વારા શનિવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના  1,150 નવા કેસ નોંધાયા છે. આ નવા કેસ શુક્રવાર કરતાં વધુ છે. શુક્રવારે કોરોનાના 1109 નવા કેસ સામે આવ્યા હતા. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણને કારણે 83 લોકોના મોત થયા છે. àª
દુનિયામાં ફરી એકવાર કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. તેના નવા વેરિઅન્ટ XEને ફેલાવવાનું જોખમ પણ વધી ગયું છે.  આરોગ્ય મંત્રાલય દ્વારા શનિવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના  1,150 નવા કેસ નોંધાયા છે. આ નવા કેસ શુક્રવાર કરતાં વધુ છે. શુક્રવારે કોરોનાના 1109 નવા કેસ સામે આવ્યા હતા.
 દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણને કારણે 83 લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યા વધીને 5,21,656 થઈ ગઈ છે. કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 11365 છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 1,194 લોકોને કોરોના સંક્રમણમાંથી સાજા થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. દેશમાં અત્યાર સુધીમાં 4,25,01,196 દર્દીઓ covid -19 થી સાજા થયા છે. 
બીજી તરફ દેશમાં જ્યાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે. તે જ સમયે, કેટલાક રાજ્યો એવા છે જ્યાં કોરોનાના કેસ વધી રહ્યા છે. યુનિયન હેલ્થ સેક્રેટરીએ વધતા કોરોના પોઝિટિવ રેટ અને કેસને લઈને પાંચ રાજ્યોને પત્ર લખ્યો છે. આ રાજ્યો છે કેરળ, મિઝોરમ, મહારાષ્ટ્ર, દિલ્હી અને હરિયાણા.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે 10 એપ્રિલથી ખાનગી રસીકરણ કેન્દ્રોમાં 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને કોવિડ-19 વેક્સિનના  બુસ્ટર ડોઝ આપવાની  જાહેરાત કરી છે. મંત્રાલયે કહ્યું છે કે 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો, જેમને નવ મહિના પહેલા વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે, તેઓ ને બુસ્ટર ડોઝ આપવામાં આવશે.
નિર્ણય લેવામાં આવ્યો છે કે ખાનગી રસીકરણ કેન્દ્રોમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોવિડ-19ના બુસ્ટર  ડોઝ આપવામાં આવશે.આ સુવિધા તમામ ખાનગી રસીકરણ કેન્દ્રોમાં ઉપલબ્ધ હશે. આ સંદર્ભમાં, વેક્સીન ઉત્પાદક સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (SII) એ શુક્રવારે કહ્યું છે કે તેની એન્ટિ-કોવિડ-19 કોવિશિલ્ડ રસીની બુસ્ટર ડોઝની કિંમત પ્રતિ ડોઝ  600 રૂપિયા હશે.
Tags :
CoronacovidDailyCoronaUpdateGujaratFirst
Next Article