ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

દેશમાં કોરોનાના કેસમાં મોટો ઘટાડો, આજે નોંધાયા માત્ર આટલા કેસ

દેશમાં કોરોના સંક્રમણના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રોગચાળાના કેસમાં મોટો ઘટાડો નોંધાયો છે. જે ભારત માટે એક મોટી જીત બરોબર છે. જીહા, સોમવારની સરખામણીએ આજે ​​પણ દેશમાં કોરોનાના દૈનિક કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. આ ઘટાડા બાદ આજે દેશમાં કોરોનાના 2000થી પણ ઓછા નવા કેસ નોંધાયા છે.આજે સવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમ
05:15 AM Oct 04, 2022 IST | Vipul Pandya
દેશમાં કોરોના સંક્રમણના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રોગચાળાના કેસમાં મોટો ઘટાડો નોંધાયો છે. જે ભારત માટે એક મોટી જીત બરોબર છે. જીહા, સોમવારની સરખામણીએ આજે ​​પણ દેશમાં કોરોનાના દૈનિક કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. આ ઘટાડા બાદ આજે દેશમાં કોરોનાના 2000થી પણ ઓછા નવા કેસ નોંધાયા છે.આજે સવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમ
દેશમાં કોરોના સંક્રમણના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રોગચાળાના કેસમાં મોટો ઘટાડો નોંધાયો છે. જે ભારત માટે એક મોટી જીત બરોબર છે. જીહા, સોમવારની સરખામણીએ આજે ​​પણ દેશમાં કોરોનાના દૈનિક કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. આ ઘટાડા બાદ આજે દેશમાં કોરોનાના 2000થી પણ ઓછા નવા કેસ નોંધાયા છે.
આજે સવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના 1,968 નવા કેસ નોંધાયા છે જ્યારે 15 લોકોના મોત થયા છે. આ દરમિયાન 3,481 લોકો કોરોના વાયરસને હરાવવામાં સફળ થયા. આ સાથે દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા ઘટીને 34,598 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોની સંખ્યામાં 1528નો ઘટાડો થયો છે. આ સાથે દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 4,45,99,466 થઈ ગઈ છે. જ્યારે સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,40,36,152 થઈ ગઈ છે. વળી, દેશમાં કોરોના વાયરસના ચેપને કારણે અત્યાર સુધીમાં કુલ 5,28,716 લોકોના મોત થયા છે.

આરોગ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. હવે દેશમાં રિકવરી રેટ વધીને 98.74 ટકા થઈ ગયો છે. વળી, સક્રિય કેસોમાં કુલ ચેપના 0.08 ટકાનો સમાવેશ થાય છે. સરકાર કોરોના વાયરસને કાબૂમાં લેવા રસીકરણ પર ભાર આપી રહી છે. અત્યાર સુધીમાં રસીકરણની સંખ્યા 2,18,80,50,600 પર પહોંચી ગઈ છે. વળી, છેલ્લા 24 કલાકમાં 3,44,525 લોકોને કોરોના રસીનો ડોઝ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો - દેશમાં આજે કોરોનાના 4 હજારથી પણ ઓછા કેસ નોંધાયા, Active કેસમાં થયો ઘટાડો
Tags :
CoronaUpdateCoronaVirusCovid19Covid19UpdateDeathGujaratFirstvaccine
Next Article