ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

દેશમાં કોરોનાના વધ્યા કેસ, આજે નોંધાયા 21,880 નવા કેસ, 60 દર્દીઓના થયા મોત

કોરોના મહામારી આજે પણ આપણા વચ્ચે ઘણા લોકોના જીવનને પ્રભાવિત કરી રહી છે. વૈશ્વિક મહામારી કોરોનાના મોર્ચે આજે પણ દેશ માટે ચિંતાના સમાચાર સામે આવ્યા છે. આજે ફરી એકવાર દેશમાં કોરોનાના 21 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 21,880 નવા કેસ નોંધાયા છે, જ્યારે 60 લોકોના મોત થયા છે. આ પહેલા ગુરુવારે દેશમાં કોરોના વાયરસના 21,566 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 45 લોકોના મોત થયા હ
05:00 AM Jul 22, 2022 IST | Vipul Pandya
કોરોના મહામારી આજે પણ આપણા વચ્ચે ઘણા લોકોના જીવનને પ્રભાવિત કરી રહી છે. વૈશ્વિક મહામારી કોરોનાના મોર્ચે આજે પણ દેશ માટે ચિંતાના સમાચાર સામે આવ્યા છે. આજે ફરી એકવાર દેશમાં કોરોનાના 21 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 21,880 નવા કેસ નોંધાયા છે, જ્યારે 60 લોકોના મોત થયા છે. આ પહેલા ગુરુવારે દેશમાં કોરોના વાયરસના 21,566 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 45 લોકોના મોત થયા હ
કોરોના મહામારી આજે પણ આપણા વચ્ચે ઘણા લોકોના જીવનને પ્રભાવિત કરી રહી છે. વૈશ્વિક મહામારી કોરોનાના મોર્ચે આજે પણ દેશ માટે ચિંતાના સમાચાર સામે આવ્યા છે. આજે ફરી એકવાર દેશમાં કોરોનાના 21 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 21,880 નવા કેસ નોંધાયા છે, જ્યારે 60 લોકોના મોત થયા છે. 
આ પહેલા ગુરુવારે દેશમાં કોરોના વાયરસના 21,566 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 45 લોકોના મોત થયા હતા. વળી, નવા સંક્રમિત દર્દીઓની સંખ્યા ગઈકાલ કરતા આજે 314 વધુ છે. આજે સવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 21,880 નવા કેસ નોંધાયા છે, જ્યારે 60 લોકોના મોત થયા છે. વળી, છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 21,219 લોકો આ મહામારીને હરાવવામાં સફળ થયા છે. આ સાથે દેશમાં કોરોનાના સક્રિય કેસ વધીને 1,49,882 થઈ ગયા છે. આ સાથે દેશમાં નવા સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ગઈકાલની સરખામણીએ આજે ​​601નો વધારો થયો છે. જે ચિંતાનો એક વિષય છે. 

આ સાથે દેશમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા 4,38,47,065 થઈ ગઈ છે. જેમાંથી 5,25,930 દર્દીઓના મોત થયા છે. જ્યારે 4,31,71,653 લોકો કોરોનાના સંક્રમણને હરાવવામાં સફળ રહ્યા છે. દેશનો રિકવરી રેટ 98.46 ટકા છે. જ્યારે મૃત્યુદર 1.2 ટકા છે. કોરોના ટેસ્ટની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 4,95,359 ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં લગભગ 87.17 કરોડ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો - દેશમાં આજે કોરોનાના નોંધાયા 21 હજારથી વધુ કેસ, 45 દર્દીઓના થયા મોત
Tags :
coronapositiveCoronaUpdateCoronaVirusCovid19Covid19UpdateDeathGujaratFirstNewcasesvaccine
Next Article