Gujarat Government : બદલી કરી કથિત આરોપી IAS IPS અધિકારીઓને બચાવી લીધાં ?
Gujarat Government : ગમે તેવો સળગતો મામલો હોય તેનો સરળ ઉકેલ લાવવા માટે ભાજપ સરકાર (BJP Government) ની કાબેલિયતને દાદ આપવી પડે તેમ છે. પ્રજાના રોષને ઠારવા માટે લેવામાં આવતા નિર્ણયો ક્ષણિક, પરંતુ ભરપૂર આનંદ આપે છે. ભ્રષ્ટાચારથી ખદબદતા બેકાબૂ...
Advertisement
Gujarat Government : ગમે તેવો સળગતો મામલો હોય તેનો સરળ ઉકેલ લાવવા માટે ભાજપ સરકાર (BJP Government) ની કાબેલિયતને દાદ આપવી પડે તેમ છે. પ્રજાના રોષને ઠારવા માટે લેવામાં આવતા નિર્ણયો ક્ષણિક, પરંતુ ભરપૂર આનંદ આપે છે. ભ્રષ્ટાચારથી ખદબદતા બેકાબૂ સરકારી તંત્રને લગામ નાંખવામાં નિષ્ફળ રહેલી ગુજરાત સરકાર (Gujarat Government) બદલી અને ફરજમોકૂફીના પગલાં લઈ જનતા જર્નાદન અને અદાલતોને મનાવી લે છે. રાજકોટનો કમિશનકાંડ હોય કે બોટાદ-અમદાવાદનો લઠ્ઠાકાંડ કે પછી મોરબી ઝૂલતા પૂલની દુર્ઘટના કે વડોદરા હરણી બોટકાંડ આવા કેટલાંય કાંડ પર પરદો પડી ગયો છે. રાજકોટના અગ્નિકાંડમાં નાની માછલીઓને સસ્પેન્ડ અને મોટા મગર મચ્છોની બદલી કરવાના નિર્ણયને લઈને ભારે ચર્ચાઓ ઊઠી છે.

