Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મોરબી ઝુલતો પુલ તૂટવાની દુર્ઘટનાનો કેસ,આરોપી જયસુખ પટેલનાં જેલ બહાર આવવાના હવાતિયાં

અહેવાલ -કલ્પીન ત્રિવેદી , મોરબી ઝૂલતા પુલ કેસની ગોઝારી ઘટનામાં 145થી વધારે લોકોના મોત નીપજ્યા હતા ત્યારે તપાસ સમિતિએ સમગ્ર કેસમાં ઓરેવા ગ્રુપના સંચાલક જયસુખ પટેલ સામે ગુનો નોંધ્યો હતો ત્યારે હાલ જયસુખ પટેલ જેલમા બંધ છે અને એક બાદ...
મોરબી ઝુલતો પુલ તૂટવાની દુર્ઘટનાનો કેસ આરોપી જયસુખ પટેલનાં જેલ બહાર આવવાના હવાતિયાં
Advertisement
અહેવાલ -કલ્પીન ત્રિવેદી ,
મોરબી ઝૂલતા પુલ કેસની ગોઝારી ઘટનામાં 145થી વધારે લોકોના મોત નીપજ્યા હતા ત્યારે તપાસ સમિતિએ સમગ્ર કેસમાં ઓરેવા ગ્રુપના સંચાલક જયસુખ પટેલ સામે ગુનો નોંધ્યો હતો ત્યારે હાલ જયસુખ પટેલ જેલમા બંધ છે અને એક બાદ એક તેનાં દ્વારા અરજીઓ કરવામાં આવી રહી છે.
હાલ જયસુખ પટેલે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ વચગાળાની રાહત આપવાની માગ સાથે જામીન આપવા રજૂઆત કરી છે.ઉપરાંત નિયમિત જામીન અરજી પર નિર્ણય ના આવે ત્યાં સુધી હંગામી જામીન પર મુક્ત કરવા પણ અરજીમાં જયસુખ પટેલ તરફથી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ માગ કરવામાં આવી છે.ત્યારે આ સમગ્ર કેસની સુનાવણી આગામી 11 ઓક્ટોબરના રોજ હાથ ધરાશે.
શું છે સમગ્ર કેસ
મોરબી કેબલ બ્રિજ કેસના આરોપી જયસુખ પટેલ દ્વારા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ જામીન અરજી કરવામાં આવી છે.મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં કુલ 135લોકોના મોત નીપજ્યા હતા જેમાં લાંબા સમય બાદ આરોપી જયસુખ પટેલની ધરપકડ થઈ હતી...મોરબી દુર્ઘટના મુદ્દે ગુજરાત હાઇકોર્ટ લીધેલી સુઓમોટો અરજી પર ઓરેવા ગ્રુપના સંચાલક જયસુખ પટેલ મૃતકોના પરિવારજનો અને ઇજાગ્રસ્તોને વચગાળાનું વળતર ચૂકવવા હુકમ કર્યો હતો.પ્રતિ મૃતક રૂપિયા 10લાખ અને પ્રતિ ઇજાગ્રસ્ત રૂપિયા 3 લાખનું વળતર ચૂકવવા હાઈકોર્ટે આદેશ કર્યો હતો..જયસુખ પટેલ અને અન્યો સામે થયેલી ચાર્જશીટ પુલના નબળા બાંધકામની બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
Tags :
Advertisement

.

×