ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નોંધાયા 19,406 નવા કેસ, એક્ટિવ કેસ 1,34,793

દેશમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી કોરોનાવાયરસના કેસમાં સતત વધારો થતા લોકોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે. જોકે, આજે કોરોનાના કેસ 20 હજારથી ઓછા નોંધાયા છે. જ્યારે આ પહેલા શુક્રવારે કોરોનાના કેસ 20,551 નોંધાયા હતા.દેશમાં આજે દૈનિક કેસોમાં ગઇકાલની સરખીમણીએ ઓછા કેસ જોવા મળ્યા છે. આજે દેશમાં કોરોનાના 20 હજારથી ઓછા નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાà
04:22 AM Aug 06, 2022 IST | Vipul Pandya
દેશમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી કોરોનાવાયરસના કેસમાં સતત વધારો થતા લોકોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે. જોકે, આજે કોરોનાના કેસ 20 હજારથી ઓછા નોંધાયા છે. જ્યારે આ પહેલા શુક્રવારે કોરોનાના કેસ 20,551 નોંધાયા હતા.દેશમાં આજે દૈનિક કેસોમાં ગઇકાલની સરખીમણીએ ઓછા કેસ જોવા મળ્યા છે. આજે દેશમાં કોરોનાના 20 હજારથી ઓછા નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાà
દેશમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી કોરોનાવાયરસના કેસમાં સતત વધારો થતા લોકોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે. જોકે, આજે કોરોનાના કેસ 20 હજારથી ઓછા નોંધાયા છે. જ્યારે આ પહેલા શુક્રવારે કોરોનાના કેસ 20,551 નોંધાયા હતા.

દેશમાં આજે દૈનિક કેસોમાં ગઇકાલની સરખીમણીએ ઓછા કેસ જોવા મળ્યા છે. આજે દેશમાં કોરોનાના 20 હજારથી ઓછા નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 19,406 નવા કેસ નોંધાયા છે, જ્યારે 49 લોકોના મોત થયા છે. આ પહેલા શુક્રવારે દેશમાં કોરોના વાયરસના 20,551 નવા કેસ નોંધાયા હતા જ્યારે 70 લોકોના મોત થયા હતા. ગઈકાલની સરખામણીમાં આજે નવા સંક્રમિત દર્દીઓની સંખ્યામાં 1,145 નો ઘટાડો નોંધાયો છે.

આજે સવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના 19,406 નવા કેસ નોંધાયા છે જ્યારે 49 લોકોના મોત થયા છે. આ દરમિયાન 19,928 લોકો કોરોના વાયરસને હરાવવામાં સફળ થયા છે. આ સાથે દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા ઘટીને 1,34,793 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 571 એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે.
આ સાથે દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 4,41,26,994 થઈ ગઈ છે. જ્યારે ઠીક થનારા લોકોની કુલ સંખ્યા વધીને 4,34,65,552 થઈ ગઈ છે. વળી, દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે અત્યાર સુધીમાં કુલ 5,26,649 લોકોના મોત થયા છે.

Tags :
CoronaUpdateCoronaVirusCovid19Covid19UpdateDeathGujaratFirstNewcasesvaccine
Next Article