ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

'કેરળ બરબાદીની કગાર પર આવીને ઉભુ છે' જાણો ભાજપના કયા નેતાએ આપ્યું આ વિસ્ફોટક નિવેદન

દેશના શ્રેષ્ઠ રાજ્યોમાં કેરળનો સમાવેશ થાય છે પરંતુ હવે કેરળના ભાજપના નેતા કે.કે. જે. અલ્ફોન્સે દાવો કર્યો છે કે રાજ્યની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે અને તે બરબાદીના આરે છે. અલ્ફોન્સે કહ્યું કે 'કેરળની આર્થિક સ્થિતિ ખરાબ છે. તે...
01:19 PM Aug 19, 2023 IST | Vishal Dave
દેશના શ્રેષ્ઠ રાજ્યોમાં કેરળનો સમાવેશ થાય છે પરંતુ હવે કેરળના ભાજપના નેતા કે.કે. જે. અલ્ફોન્સે દાવો કર્યો છે કે રાજ્યની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે અને તે બરબાદીના આરે છે. અલ્ફોન્સે કહ્યું કે 'કેરળની આર્થિક સ્થિતિ ખરાબ છે. તે...

દેશના શ્રેષ્ઠ રાજ્યોમાં કેરળનો સમાવેશ થાય છે પરંતુ હવે કેરળના ભાજપના નેતા કે.કે. જે. અલ્ફોન્સે દાવો કર્યો છે કે રાજ્યની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે અને તે બરબાદીના આરે છે. અલ્ફોન્સે કહ્યું કે 'કેરળની આર્થિક સ્થિતિ ખરાબ છે. તે આર્થિક વિનાશની આરે છે. પેન્શન આપવાના પૈસા નથી. વર્ષ 2019 થી 70 હજાર પેન્શનધારકોને વધારાનું ડીએ ચૂકવવામાં આવ્યું નથી. કેરળમાં સૌથી વધુ દેવું છે. કોઈપણ રાજ્ય આ રીતે ચાલી શકે નહીં. સરકાર સતત લોન લઈ રહી છે અને ભાવિ પેઢીઓ પર બોજ વધી રહ્યો છે.

છેલ્લા પાંચ વર્ષમાં દેવું વધ્યું 
વિપક્ષ યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટે પણ રાજ્યની લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ સરકાર પર રાજ્યની આર્થિક સ્થિતિ બગડવાનો આરોપ લગાવ્યો હતો. વિપક્ષે સરકાર પર જંગી લોન લેવા, ઉડાઉ અને કર વસૂલાતમાં અનિયમિતતાનો આરોપ પણ લગાવ્યો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાજ્ય પર દેવું વધીને ત્રણ લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ ગયું છે. આ કારણે પ્રતિ વ્યક્તિ લોનની મર્યાદા પણ વધીને એક લાખ રૂપિયા થઈ ગઈ છે. રાજ્યનું 80 ટકા દેવું છેલ્લા પાંચ વર્ષમાં જ વધ્યું છે. કેરળ એસેમ્બલીમાં રજૂ કરાયેલા ડેટા અનુસાર, રાજ્ય પર 2016-17માં 1,86,453 કરોડ રૂપિયાનું દેવું હતું, જે 2021-22માં વધીને 3,35,641 રૂપિયા થઈ ગયું છે.

રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર પર ગ્રાન્ટ કાપવાનો આરોપ

રાજ્ય સરકારનું કહેવું છે કે ગયા વર્ષે જ મહેસૂલ ખાધ રૂ. 6,716 કરોડે પહોંચી હતી. રાજ્ય સરકાર પણ કેન્દ્ર પર ગ્રાન્ટ કાપવાનો આરોપ લગાવી રહી છે. જો કે, મીડિયા અહેવાલો અનુસાર, 15મા નાણાં પંચ હેઠળ, કેરળને કેન્દ્ર સરકાર તરફથી મહત્તમ નાણાકીય સહાય મળશે. કેન્દ્ર સરકાર 2020-21 થી 2025-26 સુધી કેરળ સરકારને 53 હજાર કરોડ રૂપિયાની નાણાકીય સહાય આપશે.

Tags :
BJPBJP LeaderdebteconomicKeralastatement
Next Article