ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

દેશમાં આજે કોરોનાના નોંધાયા 17 હજારથી વધુ કેસ, 29 લોકોના મોત

દેશમાં એકવાર ફરી કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. સતત વધતા કેસ જાણે સંકેત આપી રહ્યા છે કે ચોથી લહેરની શરૂઆત થઇ ગઇ છે. દેશમાં હાલમાં પરિસ્થિતિ એવી બની છે કે, લોકો કોરોના મહામારીને પૂરી રીતે ભૂલી જ ગયા છે. ગઇ કાલે રથયાત્રામાં લોકોને માસ્ક પહેરવાની અપીલ કરવામાં આવી હતી પરંતુ અમુક લોકોને છોડી કોઇએ માસ્ક પહેર્યું નહોતું. આવી સ્થિતિમાં કોરોનાના કેસમાં વધારો થવો સરકાર માટે ચિંતાનો વિà
04:22 AM Jul 02, 2022 IST | Vipul Pandya
દેશમાં એકવાર ફરી કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. સતત વધતા કેસ જાણે સંકેત આપી રહ્યા છે કે ચોથી લહેરની શરૂઆત થઇ ગઇ છે. દેશમાં હાલમાં પરિસ્થિતિ એવી બની છે કે, લોકો કોરોના મહામારીને પૂરી રીતે ભૂલી જ ગયા છે. ગઇ કાલે રથયાત્રામાં લોકોને માસ્ક પહેરવાની અપીલ કરવામાં આવી હતી પરંતુ અમુક લોકોને છોડી કોઇએ માસ્ક પહેર્યું નહોતું. આવી સ્થિતિમાં કોરોનાના કેસમાં વધારો થવો સરકાર માટે ચિંતાનો વિà
દેશમાં એકવાર ફરી કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. સતત વધતા કેસ જાણે સંકેત આપી રહ્યા છે કે ચોથી લહેરની શરૂઆત થઇ ગઇ છે. દેશમાં હાલમાં પરિસ્થિતિ એવી બની છે કે, લોકો કોરોના મહામારીને પૂરી રીતે ભૂલી જ ગયા છે. ગઇ કાલે રથયાત્રામાં લોકોને માસ્ક પહેરવાની અપીલ કરવામાં આવી હતી પરંતુ અમુક લોકોને છોડી કોઇએ માસ્ક પહેર્યું નહોતું. આવી સ્થિતિમાં કોરોનાના કેસમાં વધારો થવો સરકાર માટે ચિંતાનો વિષય બન્યો છે.
કોરોના સંક્રમણના કેસોમાં તીવ્ર ઉછાળો આવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય પાસેથી મળેલી માહિતી અનુસાર, છેલ્લા 24 કલાકમાં 17,092 નવા કેસ નોંધાયા છે અને 29 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 14,684 લોકો કોરોનાથી સાજા થયા છે. આ સાથે દેશમાં અત્યાર સુધીમાં આ વાયરસથી સાજા થયેલા લોકોની સંખ્યા 4,28,51,590 પર પહોંચી ગઈ છે. સરકારી આંકડા મુજબ, હાલમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 1,09,568 છે. વર્તમાન રીકવરી દર 98.54% છે, દૈનિક હકારાત્મકતા દર 4.14% છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા શેર કરાયેલી વિગતો મુજબ, ભારતમાં છેલ્લા 24 કલાકમાં 29 મૃત્યુ નોંધાયા છે. કુલ રસીકરણની સંખ્યામાં 9,09,776 નો વધારો થયો છે. આ સાથે કુલ રસીકરણની સંખ્યા વધીને 1,97,84,80,015 થઇ ગઇ છે. કેરળ, દિલ્હી, કર્ણાટક એવા રાજ્યોમાં સામેલ છે જ્યાં છેલ્લા કેટલાક દિવસોમાં કોવિડ-19 કેસની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.
આ પણ વાંચો - દેશમાં ગુરુવારની સરખામણીએ આજે કોરોનાના કેસમાં નોંધાયો ઘટાડો, 23 લોકોના મોત
Tags :
CoronaUpdateCoronaVirusCovid19Covid19UpdateDeathGujaratFirstNewcasesvaccine
Next Article