દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નોંધાયા 20 હજારથી વધુ નવા કેસ, 44 દર્દીઓના થયા મોત
દેશમાં કોરોનાના કેસમાં ઉતાર-ચઢાવ યથાવત છે. કોરોનાના કેસમાં આજે એકવાર ફરી વધારો જોવા મળી રહ્યો છે. આ આંકડો આજે 20 હજારથી વધુ નોંધાયો છે અને જે રીતે ગઇ કાલે (બુધવાર) કેસ નોંધાયા હતા તેની સરખામણીએ આજે કેસમાં જબરદસ્ત વધારો થયો છે. જે સરકાર અને જનતા માટે પણ ચિંતાનો વિષય છે.દેશમાં કોરોનાના કેસમાં આજે વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 20,557 નવા કેસ નોંધાયા છે, જ્યારે આ સમયગાળામાં 44 લોકોના
06:03 AM Jul 28, 2022 IST
|
Vipul Pandya
દેશમાં કોરોનાના કેસમાં ઉતાર-ચઢાવ યથાવત છે. કોરોનાના કેસમાં આજે એકવાર ફરી વધારો જોવા મળી રહ્યો છે. આ આંકડો આજે 20 હજારથી વધુ નોંધાયો છે અને જે રીતે ગઇ કાલે (બુધવાર) કેસ નોંધાયા હતા તેની સરખામણીએ આજે કેસમાં જબરદસ્ત વધારો થયો છે. જે સરકાર અને જનતા માટે પણ ચિંતાનો વિષય છે.
દેશમાં કોરોનાના કેસમાં આજે વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 20,557 નવા કેસ નોંધાયા છે, જ્યારે આ સમયગાળામાં 44 લોકોના મોત થયા છે. અગાઉ મંગળવારે દેશમાં કોરોના વાયરસના 18,313 નવા કેસ નોંધાયા હતા જ્યારે 57 લોકોના મોત થયા હતા. દેશમાં અત્યાર સુધીમાં કોવિડ-19ના કુલ 4,39,59,321 કેસ નોંધાયા છે. વળી, આ વાયરસના કારણે કુલ 5,26,211 લોકોના મોત થયા છે.
Next Article