Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ayodhya : પ્રાણ પ્રતિષ્ઠા પહેલા વિવિધ કાર્યક્રમોને લઈ PM મોદીના રૂટની બ્લૂ પ્રિંટ તૈયાર, વાંચો અહેવાલ

અયોધ્યામાં રામ મંદિર (Ram Mandir) પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરવા માટે પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. ઐતિહાસિક રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ સમગ્ર દેશમાં લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પીએમ મોદી, સાધુ-સંતો સહિત દેશ-વિદેશના મહાનુભાવો સહિત મોટી...
ayodhya   પ્રાણ પ્રતિષ્ઠા પહેલા વિવિધ કાર્યક્રમોને લઈ pm મોદીના રૂટની બ્લૂ પ્રિંટ તૈયાર  વાંચો અહેવાલ
Advertisement

અયોધ્યામાં રામ મંદિર (Ram Mandir) પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરવા માટે પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. ઐતિહાસિક રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ સમગ્ર દેશમાં લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પીએમ મોદી, સાધુ-સંતો સહિત દેશ-વિદેશના મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં લોકો આ અદ્ભુત સમયના સાક્ષી બનશે. ત્યારે રામનગરીમાં જિલ્લા પ્રસાશને પીએમ મોદી (PM Modi) ના રૂટની બ્લુ પ્રિન્ટ તૈયારી કરી છે.

મીડિયા અહેવાલ અનુસાર, પીએમ મોદી 30 ડિસેમ્બરે અયોધ્યા આવવાના છે. અહીં તેઓ એરપોર્ટ, અયોધ્યાધામ જંકશન સહિત અનેક પ્રોજેક્ટના ઉદ્ઘાટન અને શિલાન્યાસ સહિતના કાર્યક્રમોમાં સામેલ થશે. એરપોર્ટથી તેધીબજાર અયોધ્યા સુધીના તેમના પ્રવાસના રૂટને 5 ઝોન, 13 સબ-ઝોન અને 41 સેક્ટરમાં વહેંચવામાં આવ્યા છે.

Advertisement

માહિતી અનુસાર, વડાપ્રધાન લગભગ ત્રણ કલાક રામનગરીમાં રહેશે. જિલ્લા વહીવટી તંત્રે હજુ સુધી મિનિટ ટુ મિનિટનો કાર્યક્રમ જાહેર કર્યો નથી. જો છેલ્લી ઘડી સુધી આમાં કોઈ ફેરફાર ન થાય તો જે અધિકારીઓને પીએમના કાફલાની જવાબદારી હશે તેમાં બે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ અને એક નાયબ કલેક્ટર કક્ષાના છે. એડીએમ ભૂમિ અધ્યાપ્તિ સુરજિત સિંહ, એડીએમ ન્યાયિક બારાબંકી ઈન્દ્રસેન યાદવ અને સુલતાનપુરના ડેપ્યુટી કલેક્ટર સંજીવ કુમાર યાદવ આ જવાબદારી સંભાળશે. એરપોર્ટની કમાન મુખ્ય મહેસૂલ અધિકારી સતીશ કુમાર ત્રિપાઠીના હાથમાં રહેશે. વડાપ્રધાન એરપોર્ટના ગેટ નંબર 3થી અયોધ્યા જવા રવાના થશે. પહેલો ઝોન એરપોર્ટથી સાકેત પેટ્રોલ પંપ સુધીનો છે અને પાંચમો અને છેલ્લો ઝોન તેધીબજાર છે.

Advertisement

PM માટે એરપોર્ટ સહિત ત્રણ ગ્રીન રૂમ

એરપોર્ટ ઝોનમાં બે સબ ઝોન અને બંને સબ ઝોનમાં બે સેક્ટર છે. બીજો ઝોન સાકેત પેટ્રોલ પંપથી લતા મંગેશકર ચોકથી દુર્ગાગંજ માઝા બેરિયર સુધીનો છે. ત્રીજો ઝોન લતા મંગેશકર ચોકથી શ્રૃંગારહાટ તિરાહા સુધીનો રહેશે અને ચોથો ઝોન શ્રૃંગારહાટ તિરાહા ક્રોસિંગથી તેધીબજાર સુધીનો રહેશે. વડાપ્રધાન માટે એરપોર્ટ સહિત ત્રણ ગ્રીન રૂમ બનાવવામાં આવશે. પહેલું એરપોર્ટ પર, બીજું અયોધ્યાધામ રેલવે જંકશન પર અને ત્રીજું જાહેર સભા સ્થળ પર છે. જાહેર સભા સ્થળે રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ માટે એક-એક ગ્રીન રૂમ પણ બનાવવામાં આવશે.

ઉપરાંત, સાત સેફ હાઉસમાં લતા મંગેશકર ચોક પાસે સિંચાઈ વિભાગનું ગેસ્ટ હાઉસ, અયોધ્યાધામ જંકશન રેલવે સ્ટેશન ઓફિસ, હેલીપેડ રામકથા પાર્ક, અવધ યુનિવર્સિટીના વીસીનો ઓફિસ રૂમ, સરયુ ગેસ્ટ હાઉસ, હેલીપેડ પોલીસ લાઈન અને ક્રૂ મેમ્બરની વ્યવસ્થા માટે પણ સેફ હાઉસ સામેલ છે. અધિકારીઓ તેના પર નજર રાખવા માટે રોકાયેલા છે. ઈમરજન્સી હોસ્પિટલમાં શ્રીરામ હોસ્પિટલ, મેડિકલ કોલેજ દર્શનનગર અને સામુહિક આરોગ્ય કેન્દ્રની પસંદગી કરવામાં આવી છે.

આ પણ વાંચો - Ayodhya : હવે આ નામથી ઓળખાશે અયોધ્યાનું એરપોર્ટનું નામ

Tags :
Advertisement

.

×